વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા સહિતની હસ્તીઓનાં સ્ટૅન્ડ્સનું આજે થશે અનાવરણ

16 May, 2025 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા આજે વાનખેડે સ્ટેડિયમમાં સ્ટૅન્ડ્સ અનાવરણ સમારોહ યોજાશે. સાંજે ચાર વાગ્યાથી આયોજિત આ ઇવેન્ટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ક્રિકેટજગતની હસ્તીઓ હાજર રહેશે

રોહિત શર્મા

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા આજે વાનખેડે સ્ટેડિયમમાં સ્ટૅન્ડ્સ અનાવરણ સમારોહ યોજાશે. સાંજે ચાર વાગ્યાથી આયોજિત આ ઇવેન્ટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ક્રિકેટજગતની હસ્તીઓ હાજર રહેશે. આ કાર્યક્રમના ભાગરૂપે ભૂતપૂર્વ MCA પ્રમુખ અમોલ કાલેની યાદમાં MCA ઑફિસ લાઉન્જ, શરદ પવાર સ્ટૅન્ડ, રોહિત શર્મા સ્ટૅન્ડ અને અજિત વાડેકર સ્ટૅન્ડનું સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવશે.

maharashtra cricket association devendra fadnavis sharad pawar rohit sharma mumbai news cricket news sports news