11 February, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અન્ડર-19 વર્લ્ડ કપમાં જીત મેળવીને ભારત પાછો ફર્યા બાદ સોમવારે કૅપ્ટન આયુષ મ્હાત્રે ભારત રત્ન અને ક્રિકેટના ગૉડ ગણાતા સચિન તેન્ડુલકરને મળ્યો હતો. આ પ્રસંગે સચિને તેને છેલ્લી ટેસ્ટ-સિરીઝમાં પહેરેલી જર્સી ભેટ આપી હતી. જર્સી તેણે સોનેરી સલાહ સાથે હાથે લખેલો એક સંદેશ પણ હતો.
આ મુલાકાતના સોશ્યલ મીડિયામાં શૅર કરેલા એક વિડિયોમાં સચિને આયુષને ઉજ્જ્વળ ભવિષ્ય વિશે શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે ‘સખત મહેનત કરતા રહો. લોકોના ભ્રમમાં ન આવો. પ્રૅક્ટિસ કરતા રહો. ધ્યાનભંગ કરનારું ઘણું બધું હશે, પણ હંમેશાં એકાગ્રતા જાળવી રાખો.’