09 August, 2026 12:48 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
શાકિબ અલ હસન
બંગલાદેશના સ્પિન ઑલરાઉન્ડર શાકિબ અલ-હસને દેશમાં પાછા આવવા માટે તૈયારી દર્શાવી છે. ઑક્ટોબર ૨૦૨૪માં ભારત સામે ટેસ્ટ-મૅચ તરીકે શાકિબ અલ-હસન છેલ્લી વખત બંગલાદેશ માટે રમી શક્યો હતો. બંગલાદેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે ૨૦૨૪થી બંગલાદેશ ગયો નથી અને વિદેશમાં રહીને વિવિધ T20 ટુર્નામેન્ટમાં ભાગ લે છે.
૩૯ વર્ષનો શાકિબ અલ-હસન કહે છે કે ‘જો મને સરકાર તરફથી મારી સલામતીની ખાતરી આપવામાં આવે તો હું પાછો જવા અને કોર્ટ કેસનો સામનો કરવા તૈયાર છું. જે જરૂરી હોય એ કરવા માટે ખુશ થઈશ. મને ખબર છે કે મેં કંઈ કર્યું નથી. આ એક હાસ્યાસ્પદ કેસ છે.’
બે વર્ષ પહેલાં બંગલાદેશમાં થયેલાં વિરોધ-પ્રદર્શનો સાથે જોડાયેલા કથિત હત્યાઓના કેસમાં ૧૪૭ આરોપીઓમાં શાકિબ અલ-હસનનું નામ પણ છે. તે બંગલાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગનો ભૂતપૂર્વ સંસદસભ્ય પણ છે.
શાકિબ અલ-હસન વધુમાં કહે છે, ‘હું હજુ પણ રમતનો આનંદ માણી રહ્યો છું અને સારું રમી રહ્યો છું, પરંતુ ઉંમર અત્યારે મારા પક્ષમાં નથી તેથી હું દેશ માટે રમતા રહેવાની રાહ ન જોઈ શકું.’