03 April, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
૩૧ માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં શ્રેયસ ઐયર હાથમાં બૉલ વાગ્યો હોવાથી ઘાયલ થયો હતો. એ મૅચ બાદ સરપંચસાબ તરીકે ઓળખાતા શ્રેયસ ઐયરે કહ્યું હતું કે ‘બરોળની ઇન્જરી સમયે થઈ હતી એવી જ પીડા આ ઇન્જરી વખતે થઈ છે. જોકે હું સકારાત્મક રહીશ અને બધું બરાબર થશે એવી આશા રાખું છું.’
ગઈ કાલે પંજાબ કિંગ્સના કોચિંગ સ્ટાફે પુષ્ટિ કરી છે કે શ્રેયસ ઐયરના જમણા હાથમાં કોઈ ફ્રૅક્ચર નથી, થોડો સોજો છે. તે ચેન્નઈ સામેની મૅચમાં રમશે એવી અપેક્ષા છે. ટ્રાવેલિંગ દરમ્યાન શ્રેયસ ઐયરના હાથમાં પાટો બાંધેલો જોવા મળ્યો હતો.