હરારેમાં ઇન્ડિયા હાઉસમાં શ્રેયસ ઐયરને મળ્યું ઝિમ્બાબ્વેનું અનોખું પરંપરાગત લાકડાનું શિલ્પ

26 July, 2026 12:32 PM IST  |  Zimbave | Gujarati Mid-day Correspondent

શુક્રવારે સાંજે હરારેમાં ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય T20 ટીમ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

હરારેમાં ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય T20 ટીમ

ઝિમ્બાબ્વેમાં ભારતના રાજદૂત બ્રહ્મા કુમારે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મૅચની T20 સિરીઝની બીજી મૅચ પહેલાં શુક્રવારે સાંજે હરારેમાં ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય T20 ટીમ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

સ્ટૅન્ડ-ઇન કોચ વી.વી.એસ. લક્ષ્મણ અને રેગ્યુલર કૅપ્ટન શ્રેયસ ઐયરને પરંપરાગત શાલ  આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રેયસ ઐયરને ગિફ્ટ તરીકે હાથથી બનાવેલા લાકડાનું શિલ્પ આપવામાં આવ્યું હતું, જેમાં લાકડાની કોતરણી તકનીકોનો ઉપયોગ કરીને પ્રાણીઓની  રૂપરેખાઓ દર્શાવતી એક જટિલ કોતરણી કરવામાં આવી હતી. એ ઝિમ્બાબ્વેની કલાકૃતિ અને સમુદ્ધ વન્યજીવ વારસાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું હતું. 

sports sports news t20 cricket news shreyas iyer zimbabwe