સ્મૃતિ માન્ધના છેલ્લી બે મૅચમાં ઝળકશે?

28 December, 2025 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમની આ વાઇસ-કૅપ્ટને ૩ મૅચમાં માત્ર ૪૦ રન કર્યા છે, મૅચનો સમય: સાંજે ૭.૦૦ વાગ્યાથી.

સ્મૃતિ માન્ધના

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના વન-ડે વર્લ્ડ કપ અને લગ્ન રદ થયા બાદ હાલમાં ખરાબ  ફૉર્મમાંથી પસાર થઈ રહી છે. શ્રીલંકા સામેની T20 સિરીઝની પહેલી ૩ મૅચમાં તેણે ટોટલ ૪૦ રન જ કર્યા છે. પહેલી મૅચમાં તેણે પચીસ બૉલમાં પચીસ રન, બીજી મૅચમાં ૧૧ બૉલમાં ૧૪ રન અને ત્રીજી મૅચમાં ૬ બૉલમાં એક જ રન કર્યો હતો. પહેલી બે મૅચમાં તે કૅચઆઉટ થઈ અને ત્રીજી મૅચમાં LBW આઉટ થઈ હતી.

મૅચ ૧    ૨૫ બા‍ૅલમાં ૨૫
મૅચ ૨    ૧૧ બા‍ૅલમાં ૧૪
મૅચ ૩    ૬ બા‍ૅલમાં ૧

આજે અને ૩૦ ડિસેમ્બરે શ્રીલંકા સામેની સિરીઝની અંતિમ બે મૅચ રમાશે. આ બે મૅચમાં ઓપનર સ્મૃતિ માન્ધના પાસે શાનદાર કમબૅકની તક રહેશે. ૨૦૨૫ની અંતિમ મૅચોમાં ટીમ ઇન્ડિયા પોતાની વાઇસ-કૅપ્ટન પાસે જબરદસ્ત કમબૅકની આશા રાખશે.

smriti mandhana cricket news indian cricket team sports news sports