20 May, 2026 02:35 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની ટીમના ભૂતપૂર્વ સાથી-ખેલાડી સુરેશ રૈનાને પણ મળ્યો હતો
લેપ ઑફ થૅન્ક્સ પરેડ દરમ્યાન સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમના ભૂતપૂર્વ સાથી-ખેલાડી સુરેશ રૈનાને પણ મળ્યો હતો. કૉમેન્ટેટર સુરેશ રૈનાએ ધોની સાથેની વાતચીતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે , ‘ મેં તેને કહ્યું કે ‘તે IPL 2026 માટે માત્ર મિસ્ડ કોલ આપ્યો છે. આવું નહીં ચાલે. તારે આવતા વર્ષે પાછા આવવું પડશે.’ તેણે જવાબ આપ્યો કે ‘મારું શરીર થોડું નબળું લાગે છે.’ મેં કહ્યું કે ‘અમે આવું બહાનું નહીં સ્વીકારીએ. તારે આવતા વર્ષે રમવું જ પડશે.’ સુરેશ રૈનાએ વધુમાં કહ્યું કે,’ આખરે રમવું કે નહીં એ તેનો પોતાનો નિર્ણય છે. મને લાગે છે કે તે તેના વિશે સકારાત્મક છે. ટીમ ફરીથી ખૂબ સારી રીતે સંગઠિત થઈ રહી છે.ભલે આ સીઝનમાં ધોની રમ્યો નથી પણ તેમ છતાં તેણે ટીમ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે.’