T20 World Cup 2026: `Oh No!` બુમરાહે તો પ્રૅક્ટિસમાં ઈશાન કિશનને જ યૉર્કરથી જખમી કરી દીધો

11 February, 2026 08:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

નૅટ પ્રૅક્ટિસ દરમિયાન જસપ્રીત બુમરાહના એક ઝડપી યૉર્કર બૉલ સીધો ઈશાન કિશનના પગના અંગૂઠામાં વાગ્યો હતો, જેના કારણે તેને પીડા થઈ. ડાબા હાથના બૅટર ભારે દુખાવો થતો જોવા મળ્યો હતો અને તેને થોડા સમય માટે પ્રૅક્ટિસ બંધ કરવી પડી હતી.

ઈશાન કિશન થયો જખમી (તસવીર: X)

T20 વર્લ્ડ કપ 2026 માં ગુરુવારે ભારત અને નામિબિયાની નવી દિલ્હીમાં મૅચ થવાની છે. જોકે, આ મૅચ પહેલા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી જ રહી છે. કેટલાક ખેલાડીઓની ફિટનેસ અંગે પહેલાથી જ ચિંતા હતી, અને હવે એક ખેલાડીની ઈજાનો ટીમ મૅનેજમેન્ટની ચિંતાઓમાં વધારો કર્યો છે. અહેવાલો અનુસાર, મૅચના એક દિવસ પહેલા દિલ્હીમાં પ્રૅક્ટિસ સૅશન દરમિયાન ઈશાન કિશનના ડાબા પગના અંગૂઠામાં ઈજા થઈ હતી.

જસપ્રીત બુમરાહના યૉર્કરથી કિશન ઘાયલ થયો

અહેવાલો અનુસાર, નૅટ પ્રૅક્ટિસ દરમિયાન જસપ્રીત બુમરાહના એક ઝડપી યૉર્કર બૉલ સીધો ઈશાન કિશનના પગના અંગૂઠામાં વાગ્યો હતો, જેના કારણે તેને પીડા થઈ. ડાબા હાથના બૅટર ભારે દુખાવો થતો જોવા મળ્યો હતો અને તેને થોડા સમય માટે પ્રૅક્ટિસ બંધ કરવી પડી હતી. હાલમાં તે સ્પષ્ટ નથી કે કિશન નામિબિયા સામેની મૅચમાં રમી શકશે કે નહીં, પરંતુ આ ચોક્કસપણે ટીમ માટે મોટો ફટકો માનવામાં આવે છે.

ટીમ પહેલાથી જ ફિટનેસ કટોકટીનો સામનો કરી રહી છે

ટીમ ઇન્ડિયા પહેલાથી જ ઓપનર અભિષેક શર્માના સ્વાસ્થ્ય અંગે અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. અભિષેકને તાજેતરમાં પેટની બીમારીને કારણે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તેને રજા આપવામાં આવી છે. જોકે, તેની મૅચ ફિટનેસ અંગેનો અંતિમ નિર્ણય હજુ બાકી છે. ટીમ મૅનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે તેની ઉપલબ્ધતા મૅચ પહેલા તે કેવું અનુભવે છે તેના પર નિર્ભર રહેશે. અભિષેકે બીમારી હોવા છતાં અમેરિકા સામે તેણે પહેલી મૅચ રમી હતી, પરંતુ બીજા બૉલ પર આઉટ થઈ ગયો હતો અને ફિલ્ડિંગ દરમિયાન મેદાનમાં પ્રવેશ્યો ન હતો. ત્યારબાદ તે તાલીમ સૅશન ચૂકી ગયો. જો તે સંપૂર્ણપણે ફિટ ન હોય, તો તેની ટીમ કોમ્બિનેશન પર અસર પડી શકે છે.

ઓપનિંગ અને મિડલ ઓર્ડર પર અસર?

જો ઇશાન કિશન અને અભિષેક શર્મા બન્ને સંપૂર્ણપણે ફિટ ન હોય, તો ટીમ મૅનેજમેન્ટને પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવા પડી શકે છે. સંજુ સૅમસન એક વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે, જ્યારે વૉશિંગ્ટન સુંદરને ઓપનર તરીકે ઉતારવા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની હાઇ-વોલ્ટેજ મૅચને ધ્યાનમાં રાખીને, ટીમ કોઈપણ ખેલાડીને જોખમમાં નાખવાનું ટાળવા માગશે. ઇશાન કિશનની ઈજા મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે વિકેટકીપિંગ અને આક્રમક બૅટિંગ બન્ને કરે છે. જો તેનો અંગૂઠો ગંભીર રીતે પ્રભાવિત થાય છે, તો વિકેટકીપિંગ અને બૅટિંગ બન્ને વિભાગોમાં ફેરફારોની જરૂર પડી શકે છે. એ નોંધવું જોઈએ કે ટીમ ઇન્ડિયાએ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત યુનાઇટેડ સ્ટેટ્સ સામેની મૅચથી કરી હતી. ટીમ ઇન્ડિયાએ આ મૅચ જીતી લીધી, પરંતુ સૂર્યા સિવાય અન્ય કોઈ બૅટર પ્રભાવ પાડી શક્યો નહીં. તેથી, પાકિસ્તાન સામેની મૅચ પહેલા નામિબિયા સામેની મૅચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

t20 world cup indian cricket team jasprit bumrah ishan kishan cricket news sports news sports