09 March, 2026 08:15 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતના મોહમ્મદ સિરાજે ટુર્નામેન્ટની ટ્રૉફી સાથે સેલિબ્રેશન કર્યું હતું (તસવીર: એજન્સી)
ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતની જીત બાદ ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિરાજને ટીમની જીતમાં તેના અને સ્પિનર કુલદીપ યાદવની ભૂમિકા વિશે પૂછવામાં આવતા તેણે રમુજી રીતે જવાબ આપ્યો, જેણે હવે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ભારત ચૅમ્પિયન બન્યા બાદ વાતચીત દરમિયાન, સિરાજને તેના અને કુલદીપ યાદવ દ્વારા T20 વર્લ્ડ કપમાં ભજવવામાં આવેલી ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું. જોકે બન્ને ખેલાડીઓ સંપૂર્ણ ટુર્નામેન્ટ દરમિયાન મૅચોમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા., સિરાજે કહ્યું, “હા ખૂબ જ મોટી ભૂમિકા હતી, અમારા બન્નેની, બહાર બસીને ખેલાડીઓને પાણી પિવડાવવું, અને તેમની બૅટ ઉપાડવી.” આ કહ્યા પછી સિરાજ પોતે હસ્યો. તેનો જવાબ સ્પષ્ટપણે રમૂજી હતો, પરંતુ તેણે જે રીતે કહ્યું તેના કારણે તે સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય થઈ ગયો.
મજાક કર્યા પછી, સિરાજે ટીમના વાતાવરણ અને કોઈપણ ભૂમિકા માટે તૈયાર રહેવાના મહત્ત્વ વિશે ગંભીરતાથી વાત કરી. તેણે કહ્યું, “નેટમાં બૉલિંગ કરીએ છીએ. અમે સકારાત્મક વાતાવરણ જાળવીએ છીએ. ખેલાડીઓ હંમેશા રમવા માગે છે, પરંતુ આપણે જે ટીમ કોમ્બિનેશન માટે બહાર બેઠા છીએ તે મહત્વપૂર્ણ છે. કોઈ વ્યક્તિ મહત્વપૂર્ણ નથી, પરંતુ ટીમ મહત્વપૂર્ણ છે. તેથી અમારું વલણ એવું હતું કે ટીમ જે વિચારે છે તે વધુ સારું રહેશે." સિરાજને આગળ પૂછવામાં આવ્યું, “વર્લ્ડ કપની લાઇન શું હશે, હું ફક્ત આ બાબતમાં માનું છું?” આના જવાબમાં, સિરાજે કહ્યું, “આખી ટીમ. તે ભગવાનની સ્ક્રિપ્ટ હતી કારણ કે હું શરૂઆતમાં ટીમમાં નહોતો અને પછી મને એક આશ્ચર્યજનક કૉલ મળ્યો અને પછી અમે ચૅમ્પિયન બન્યા.”
સિરાજને એમ પણ પૂછ્યું કે “પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેવું થોડું નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ તમારી ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ છે તે જરૂરી છે?”સિરાજના પ્રતિભાવમાં પ્રામાણિકતા અને ટીમ પ્રતિબદ્ધતા બન્ને દેખાયા. શરૂઆતમાં તેણે મજાકમાં જવાબ આપ્યો, પરંતુ પછીથી તેણે સ્પષ્ટ કહ્યું કે દરેક ખેલાડીએ ટીમને જે જોઈએ છે તે કરવું જોઈએ. આ વીડિયો હવે ચાહકો દ્વારા વ્યાપકપણે શૅર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઘણા લોકો સિરાજના સરળ અને પ્રામાણિક વલણની પ્રશંસા કરી રહ્યા છે. તેની ટિપ્પણીઓ એ પણ દર્શાવે છે કે પ્લેઇંગ ઇલેવનમાં ન હોય તેવા ખેલાડીઓ પણ સપોર્ટ વર્ક, નેટ સૅશન અને ટીમમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખીને યોગદાન આપવાનું ચાલુ રાખે છે.