14 June, 2025 08:44 AM IST | London | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમ
બ્રિટનની રાજધાની લંડનમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ અને ભારતીય ટીમની ઇન્ટ્રા સ્ક્વૉડ મૅચ પહેલાં ગઈ કાલે અમદાવાદ પ્લેન-ક્રૅશના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મૅચ દરમ્યાન કાળી પટ્ટી પહેરનાર ત્રણેય દેશના ક્રિકેટર્સ અને મૅચના અમ્પાયર્સ સહિત ક્રિકેટ ફૅન્સે એક મિનિટનું મૌન પાળ્યું હતું. ઍર ઇન્ડિયાનું લંડન જતું પ્લેન ગુરુવારે અમદાવાદથી ટેક-ઑફ કર્યા બાદ તરત જ તૂટી પડ્યું હતું જેમાં ૨૫૦થી વધુનાં મોત થયાં હતાં.