પિતાએ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની ગોળી મારી કરી હત્યા: રીલ્સ પર થયો હતો વિવાદ

11 July, 2025 06:54 AM IST  |  Gurugram | Gujarati Mid-day Online Correspondent

Father shot Tennis Player Radhika Yadav: ગુરુવારે હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવ (25) ની હત્યા કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેના પિતાએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના બપોરે બની હતી જ્યારે પિતા અને પુત્રી ઘરમાં એકલા હતા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ગુરુવારે હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવ (25) ની હત્યા કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેના પિતાએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના બપોરે બની હતી જ્યારે પિતા અને પુત્રી ઘરમાં એકલા હતા.

જ્યારે નજીકમાં રહેતા લોકોએ તેમના ઘરમાંથી ત્રણ ગોળીબારનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. તેઓએ જોયું કે રાધિકા લોહીથી લથપથ રૂમમાં પડેલી હતી. તેના પિતા નજીકમાં બેઠા હતા. લોકો તાત્કાલિક રાધિકાને હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી.

બીજી તરફ, માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી પિતાને કસ્ટડીમાં લીધો હતો. ઘટનાસ્થળેથી લાઇસન્સ પ્રાપ્ત રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસે રાધિકાના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાથી ગુસ્સે હતા. તેમણે આ અંગે રાધિકાને ઘણી વખત ઠપકો પણ આપ્યો હતો. આ ઉપરાંત પોલીસ અન્ય કારણોની પણ તપાસ કરી રહી છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તેજસ્વી પ્રતિભા દર્શાવી
ગુરુગ્રામના સેક્ટર 57ના સુશાંત લોક ફેઝ 2ની રહેવાસી રાધિકા યાદવ એક ઉભરતી રાષ્ટ્રીય સ્તરની ટેનિસ ખેલાડી હતી. 23 માર્ચ, 2000ના રોજ જન્મેલી રાધિકાએ ઘણી આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (ITF) અને મહિલા ટેનિસ એસોસિએશન (WTA) ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. રાધિકાનું કારકિર્દીનું ઉચ્ચ ITF રેન્કિંગ લગભગ 1638 રહ્યું છે. રાધિકાની અન્ય નોંધપાત્ર સિદ્ધિઓમાં મહિલા ડબલ્સ કેટેગરીમાં હરિયાણામાં પાંચમા ક્રમે આવવું અને આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં પૂર્વી ભટ્ટ (109) અને થાનિયા સરાઈ ગોગુલામંડા (125) જેવી અન્ય અગ્રણી ભારતીય ખેલાડીઓની નજીક રહેવું શામેલ છે. રાધિકા એક ટેનિસ એકેડેમી પણ ચલાવે છે. રાધિકા જૂન 2024માં ટ્યુનિશિયામાં આયોજિત W15 ટુર્નામેન્ટમાં પહોંચી હતી. આ ઉપરાંત, ફેબ્રુઆરી 2017માં ગ્વાલિયરમાં આયોજિત મેચમાં, રાધિકાનો સામનો તાઇવાનની ખેલાડી હસીન-યુઆન શિહ સાથે થયો હતો. રાધિકા ઑલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) માં પણ નોંધાયેલ છે. રાધિકાની ગણતરી ભારતની નવી પેઢીની મહિલા ખેલાડીઓમાં થતી હતી. રાધિકા એક ટેનિસ એકેડમી પણ ચલાવતી હતી, જ્યાં તે અન્ય બાળકોને ટેનિસ શીખવતી હતી.

રીલ બનાવવા પર વિવાદ, પોલીસ તપાસ શરૂ
રાધિકાની હત્યા કેમ કરવામાં આવી? પોલીસ આના કારણની તપાસ કરી રહી છે. સેક્ટર 57 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે પિતા અને પુત્રી વચ્ચે રીલ બનાવવા બદલ વિવાદ થયો હતો. આ ઉપરાંત, પોલીસ તેને પારિવારિક વિવાદ સાથે જોડી રહી છે. હાલમાં, આરોપી પિતા સામે કેસ નોંધવામાં આવ્યો છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે રાધિકાના પરિવારના કેટલાક અન્ય લોકો પાસેથી પણ માહિતી એકત્રિત કરી છે. પરંતુ, આમાં પણ, હત્યાનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

tennis news Crime News murder case gurugram haryana sports news sports