11 August, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લીગના મૅસ્કૉટ બિટ્ટુ બૉસ સાથે સૂર્યકુમાર યાદવ.
ભારતની પ્રથમ પ્રોફેશનલ પ્રો ગોવિંદા લીગ (PGL)એ ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવને ચોથી સીઝન માટે ઑફિશ્યલ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર નિયુક્ત કર્યો છે. આ વર્ષે આ લીગ પચીસથી ૨૭ ઑગસ્ટ દરમ્યાન મુંબઈના વરલીમાં SVP સ્ટેડિયમમાં ધ ડોમ ખાતે યોજાવાની છે.
સૂર્યકુમાર યાદવે કહે છે, ‘મારા માટે રમત હંમેશાં ટીમવર્ક, હિંમત અને પોતાની મર્યાદાઓથી આગળ વધવા વિશે રહી છે. જ્યારે મેં આ ખેલાડીઓને માનવ-પિરામિડ બનાવતી વખતે અવિશ્વસનીય કૌશલ્ય, શક્તિ અને સંકલન દર્શાવતા જોયા ત્યારે મને તરત જ સમજાયું કે આ ગુણો કોઈ પણ રમતના ઉચ્ચતમ સ્તરે આવશ્યક છે. હું આ ભવ્ય પરંપરાને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે મદદ કરવા માટે રોમાંચિત છું.’