23 October, 2021 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમારે ‘રામસેતુ’ માટેનું ઊટીનું શેડ્યુલ પૂરું કરી લીધું છે અને આ સાથે જ તેણે પ્રેરણાત્મક મેસેજ આપ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે નુશરત ભરૂચા અને જૅકલિન ફર્નાન્ડિસ લીડ રોલમાં છે. આ ફિલ્મને અભિષેક શર્માએ ડિરેક્ટ કરી છે. અક્ષયકુમારે તેના પ્રોડક્શન-હાઉસ કેપ ઑફ ગુડ ફિલ્મ્સ, અબુન્દાન્તિયા એન્ટરટેઇનમેન્ટ, લાઇકા પ્રોડક્શન્સ અને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘ફોટો હોય કે લાઇફ, હંમેશાં કાળા વાદળની ઉપર ઉજાસની રેખા દેખાય છે. ‘રામસેતુ’નું ઊટીનું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આશા છે કે ઉતાર-ચડાવ દરમ્યાન એક આધ્યાત્મિક પ્રકાશ આપણને હંમેશાં માર્ગદર્શન આપે.’