હનુમાન અંશનું ટીઝર રિલીઝ: નીબ કરોરી બાબાના જીવન પર આધારિત ફિલ્મ રિલીઝ માટે તૈયાર

11 July, 2026 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. ફિલ્મમાં શોભિના ડબલ્યુ સત્ય, વિહાન એસ હેગડે, ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ કે રાસ્તોગી અને ગુલશન પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

હનુમાન અંશનું ટીઝર રિલીઝ

સ્વંભુ મીડિયા નેટવર્કની આગામી આધ્યાત્મિક ફિલ્મ `હનુમાન અંશ`નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ શ્રી નીબ કરોરી બાબાના જીવન, તેમના ઉપદેશો અને તેમની સેવા ભાવનાથી પ્રેરિત છે. ફિલ્મ 31 જુલાઈ 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મનું લેખન અને દિગ્દર્શન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. ફિલ્મમાં શોભિના ડબલ્યુ સત્ય, વિહાન એસ હેગડે, ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ કે રાસ્તોગી અને ગુલશન પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ રાગિની એસ, નમ્રતા જી સિંહ, અનુપ્રિયા એ નાગર અને વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. ફિલ્મનું સમગ્ર ભારતમાં થિયેટ્રિકલ વિતરણ સિનેપોલિસ દ્વારા કરવામાં આવશે.

એક સંતના જીવન પર આધારિત ફિલ્મ

`હનુમાન અંશ` એક સંતના જીવન પર આધારિત ફિલ્મ છે, જે પ્રેમ, નમ્રતા, સેવા અને ભક્તિનો સંદેશ આપે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે નીબ કરોરી બાબાએ લોકોમાં પ્રેમ અને સેવા કરવાની ભાવના જગાવી હતી. તેમનો સંદેશ હતો – સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો, સૌને ભોજન આપો અને ભગવાન રામને યાદ કરો. નીબ કરોરી બાબાના અનુયાયીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં છે. તેમના જીવન અને ઉપદેશોથી ઘણા જાણીતા લોકો પણ પ્રેરાયા હોવાનું માનવામાં આવે છે. તેમાં સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, જુલિયા રોબર્ટ્સ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના નામ પણ સામેલ છે.

અનેક જાણીતી હસ્તીઓએ લીધી હતી મુલાકાત

સ્ટીવ જોબ્સે ભારતની મુલાકાત દરમિયાન કૈંચી ધામની મુલાકાત લીધી હતી. માર્ક ઝકરબર્ગે પણ કૈંચી ધામ જઈ આશીર્વાદ લીધા હતા. અભિનેત્રી જુલિયા રોબર્ટ્સે પણ નીબ કરોરી બાબાની તસવીર જોઈને હિંદુ ધર્મ પ્રત્યે આકર્ષણ અનુભવ્યું હોવાનું જણાવ્યું હતું. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ અનેક વખત બાબાના આશ્રમમાં જઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભક્તિ, પૌરાણિક અને આધ્યાત્મિક વિષયો પર આધારિત ફિલ્મોને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. `હનુ-માન` અને `મહાવતાર નરસિંહ` જેવી ફિલ્મોની સફળતા બાદ હવે `હનુમાન અંશ` પાસેથી પણ સારી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ફિલ્મના નિર્માતાઓએ કહ્યું કે, "આ ફિલ્મ દરેક તે વ્યક્તિ માટે છે જે ગુરુમાં વિશ્વાસ રાખે છે અથવા જીવનમાં માર્ગદર્શન શોધી રહી છે. `હનુમાન અંશ` અમારા માટે માત્ર ફિલ્મ નથી, પરંતુ સેવા છે. અમે નીબ કરોરી બાબાના પ્રેમ, સેવા, નમ્રતા અને રામ ભક્તિના સંદેશને દરેક ઘર સુધી પહોંચાડવા માંગીએ છીએ." ભાવનાત્મક વાર્તા, ભક્તિ સંગીત અને નીબ કરોરી બાબાના જીવન સાથેના જોડાણને કારણે `હનુમાન અંશ` એક ખાસ સિનેમેટિક અનુભવ બની શકે છે. `હનુમાન અંશ` 31 જુલાઈ 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તેનું ટીઝર હવે દર્શકો માટે ઉપલબ્ધ છે.

bollywood buzz teaser release bollywood news bollywood bollywood gossips entertainment news virat kohli anushka sharma steve jobs mark zuckerberg upcoming movie