આવી રહ્યો છે તાન્હાજીનો બીજો ભાગ?

12 January, 2026 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’નું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું હતું

ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’

અજય દેવગનને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘તાન્હાજી’નાં ૬ વર્ષ પૂર્ણ થતાં અજયે સોશ્યલ મીડિયામાં એક ખાસ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં અજયે ફિલ્મનાં વિવિધ દૃશ્યોનાં ઑઇલ પેઇન્ટિંગ પોસ્ટર્સ શૅર કર્યાં છે. આ પોસ્ટર્સમાં અજય સાથે કાજોલ, સૈફ અલી ખાન અને શરદ કેલકર પણ નજરે પડે છે. જોકે આ પોસ્ટર્સ કરતાં પણ વધુ ચર્ચામાં અજય દેવગનની કૅપ્શનની થઈ રહી છે. આ પોસ્ટ સાથે અજયે મરાઠીમાં કૅપ્શન લખી છે કે ‘ગડ આલા પણ સિંહ ગેલા... પરંતુ વાર્તા હજી પૂરી થઈ નથી.’

૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’નું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું હતું અને ફિલ્મને અજય દેવગન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મ ૧૭મી સદીના મરાઠા યોદ્ધા, સુબેદાર તાનાજી માલુસરેના જીવન પર આધારિત છે. હવે અજયની લેટેસ્ટ કૅપ્શન બાદ ફિલ્મના બીજા ભાગને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ajay devgn entertainment news bollywood buzz bollywood news bollywood tanhaji: the unsung warrior