ટ્વિટર પર અકળાયા જાવેદ અખ્તર લોકોને કહ્યું “તું ખરાબ વ્યક્તિ બનીને જ મરીશ...”

25 February, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Javed Akhtar gets angry on people: ટીમ ઇન્ડિયા મૅચ જીતી ગઈ. દરેક ભારતીયની જેમ, જાવેદ અખ્તર પણ આ વાતથી ખૂબ જ ખુશ હતા. તેમણે તરત જ ટ્વિટર  (X) પર રાત્રે 9:49 વાગ્યે લખ્યું, `વિરાટ કોહલી, ઝિંદાબાદ!!!` અમને બધાને તમારા પર ખૂબ ગર્વ છે!!!`.

જાવેદ અખ્તર અને વિરાટ કોહલી

બૉલિવૂડના દિગ્ગજ ગીતકાર અને લેખક જાવેદ અખ્તર અનેક વખત પોતાના મતો સોશિયલ મીડિયા તેમ જ જાહેરમાં શૅર કરવા માટે ચર્ચામાં આવે છે. હાલમાં ફરી એક વખત તેમનું ટ્વીટ ચર્ચાનું વિષય બન્યું છે. જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પર એક અભદ્ર બાબતો કહેતા યુઝર્સ પર આકરા પ્રહારો કર્યા હતા. રવિવારે રાત્રે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ જ્યારે જાવેદ અખ્તરે ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીના વખાણ કરવા માટે ટ્વિટ કર્યું, જેમાં પર કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા. આ સાથે કેટલાક યુઝર્સે તેમને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. આ અંગે પ્રતિક્રિયા આપતા જાવેદ અખ્તર એટલા બધા ગુસ્સે થયા લે તેમણે એક યુઝરને તો કહ્યું, `તું એક ખરાબ વ્યક્તિ છે અને તું ખરાબ વ્યક્તિ બનીને જ મરીશ.`

૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રૉફીમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી. ટીમ ઇન્ડિયા મૅચ જીતી ગઈ. દરેક ભારતીયની જેમ, જાવેદ અખ્તર પણ આ વાતથી ખૂબ જ ખુશ હતા. તેમણે તરત જ ટ્વિટર  (X) પર રાત્રે 9:49 વાગ્યે લખ્યું, `વિરાટ કોહલી, ઝિંદાબાદ!!!` અમને બધાને તમારા પર ખૂબ ગર્વ છે!!!` એક અજ્ઞાની યુઝરે જાવેદ અખ્તરની પોસ્ટ પર ટિપ્પણી કરી લખ્યું, `જાવેદ, બાબરના પિતાનું નામ કોહલી છે. બોલો, જય શ્રી રામ!’

જાવેદ અખ્તરે કહ્યું- તમે દેશભક્તિ વિશે શું જાણો છો?

જાવેદ અખ્તરને આ બધી ટિપ્પણી વાંચતા જ, તેમને ગુસ્સો આવ્યો અને તેમણે યુઝરની ટીકા કરી. ૮૦ વર્ષીય દિગ્ગજ ગીતકારે આ ટિપ્પણીનો જવાબ આપ્યો અને લખ્યું, `હું ફક્ત એટલું જ કહીશ કે તમે એક ખરાબ વ્યક્તિ છો અને ખરાબ વ્યક્તિ તરીકે જ મૃત્યુ પામશો.` દેશભક્તિ વિશે તમે શું જાણો છો? અખ્તરે પણ બીજા યુઝરને એ જ રીતે ઠપકો આપ્યો. આ મૂર્ખ વ્યક્તિએ પણ જાવેદ અખ્તરની પોસ્ટ પર ટિપ્પણી કરી, `આજે સૂર્ય ક્યાંથી આવ્યો?` તમને અંદરથી દુઃખ થશે. તે બાદ અખ્તરે આનો જવાબ આપ્યો અને લખ્યું, `દીકરા, જ્યારે તારા બાપ-દાદા અંગ્રેજોના જૂતા ચાટી રહ્યા હતા, ત્યારે મારા કાલા પાણી આઝાદી માટે જેલમાં હતા. મારી નસોમાં દેશભક્તોનું લોહી વહે છે અને તમારી નસોમાં બ્રિટિશ નોકરોનું લોહી વહે છે. આ તફાવત ભૂલશો નહીં.

જાવેદ અખ્તરનો આ જવાબ વાયરલ થઈ રહ્યો છે. જાવેદ અખ્તરનો ગુસ્સો જોઈને, બીજા કેટલાક લોકોએ પણ સોશિયલ મીડિયા પર આવી વાતો કરતાં યુઝર્સને ઠપકો આપ્યો. આ સાથે દિગ્ગજ ગીતકારના બન્ને જવાબો રીટ્વીટ કરીને તેના પર હવે ખૂબ જ લાઈક્સ આવી રહ્યા છે.

javed akhtar virat kohli social media twitter bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news