07 June, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી
પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરીની જોડી પ્રથમ વખત ‘પારિવારિક મનુરંજન’ નામની ફિલ્મમાં ઑન-સ્ક્રીન જોવા મળશે. આ ફિલ્મમાં હાસ્ય, પ્રેમ અને નોંકઝોંકનું શાનદાર મિશ્રણ
જોવા મળશે. આ ફિલ્મમાં લખનઉની તહઝીબ અને સંસ્કૃતિ જોવા મળશે.
પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી અભિનીત આ ફિલ્મ ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને AAZ ફિલ્મ્સના સહયોગથી તૈયાર કરવામાં આવશે. ગુરુવારે આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શરૂ થયું છે. આ ફિલ્મ રોમૅન્સ, સંસ્કૃતિ, ભાષા અને ખાણીપીણીના શહેર લખનઉની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે જેમાં કૉમેડીનું શાનદાર મિશ્રણ જોવા મળશે.
પંકજ ત્રિપાઠી અને અદિતિ રાવ હૈદરી અભિનીત ફિલ્મ ‘પારિવારિક મનુરંજન’નું ડિરેક્શન વરુણ વી. શર્મા કરશે. એ ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાલી અને હિમાંશુ મહેરાએ કર્યું છે.