01 April, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની આગામી ફિલ્મમાં અનિલ કપૂર, નયનતારા અને અરવિંદ સ્વામીનો પણ મજબૂત રોલ
સલમાન ખાને તાજેતરમાં એક નવી ઍક્શન-ડ્રામા ફિલ્મની જાહેરાત કરી છે. એને લઈને ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, સાઉથની લોકપ્રિય અભિનેત્રી નયનતારા તેમ જ અરવિંદ સ્વામી પણ મજબૂત રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન નૅશનલ અવૉર્ડ વિજેતા ડિરેક્ટર વામશી પેડિપલ્લી કરશે. હવે ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થઈ શકે છે.