08 April, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્તની આખરી સવાલ એક અઠવાડિયું વહેલી રિલીઝ થશે
‘ધુરંધર : ધ રિવેન્જ’ પછી સંજય દત્ત હવે તેની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું અને એમાં ફિલ્મની રિલીઝ તારીખ ૧૬ મે જાહેર કરવામાં આવી હતી. જોકે હવે નિર્માતાઓએ રિલીઝ તારીખમાં ફેરફાર કર્યો છે. ફિલ્મની રિલીઝ તારીખ હવે પહેલાં કરતાં વહેલી કરવામાં આવી છે. ‘આખરી સવાલ’ હવે ૧૬ મેના બદલે ૮ મેએ રિલીઝ થશે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર આ ફિલ્મ દેશના યુવાનોને સતાવતા પ્રશ્નો ઉઠાવે છે.