ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ ઉદ્યોગને પડી ખોટ, `કમઠાણ` અભિનેતા જય વિઠલાણીનું અવસાન

28 February, 2024 12:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જામનગરના લોકપ્રિય એકટર અને યુવા ઉદ્યોગપતિ જય પ્રભુદાસભાઈ વિઠલાણીનું રાજકોટ ખાતે દુઃખદ અવસાન ( jay vithlani passed away)થયું છે. કમઠાણ ફિલ્મમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

જય વિઠલાણી

 Jay Vithlani Passed Away : ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ ઉદ્યોગ જગતમાં વધુ એક ખોટ પડી છે. જામનગરના લોકપ્રિય એકટર અને યુવા ઉદ્યોગપતિ જય પ્રભુદાસભાઈ વિઠલાણીનું રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયું છે. 42 વર્ષની યુવા વયે લાંબી બીમારી સામે ઝઝૂમ્યાં બાદ આજે અંતિમ શ્વાસ લીધા છે. 

અનેક યુવાઓ માટે પ્રેરણા સમાન અભિનેતા જય વિઠલાણીનું અભિનય ક્ષેત્રે મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ બિમારીનો સામનો કરી રહ્યાં છે. હિંમતપૂર્વક બિમારી સામે લડ્યા બાદ આજે  એટલે કે 28 ફેબ્રુઆરીએ મોડી સાંજે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતા જય વિઠલાણીએ અનેક ગુજરાતી, હિન્દી નાટકો અને ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા હતાં. 

 તાજેતરમાં જ રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ `કમઠાણ` માં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર અને વિશાળ મિત્ર વર્તુળને વિલાપ કરતા છોડી, તેઓએ અનંતના માર્ગે પ્રયાણ કર્યું. ગુજરાતી નાટક ક્ષેત્રે અને ફિલ્મ જગતને તેમની ખોટ અનુભવાશે. 

celebrity death Gujarati Natak gujarati film dhollywood news jamnagar rajkot entertainment news