શાહીર શેખના પિતાની તબિયત લથડતાં ફૅન્સને પ્રાર્થના કરવા માટે કરી વિનંતી

20 January, 2022 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પિતાનો ફોટો ટ્વિટર પર શૅર કરીને શાહીરે ટ્વીટ કર્યું હતું,

શાહીર શેખ અને તેના પિતા

શાહીર શેખના પિતાને કોવિડનું ઇન્ફેક્શન વધતાં તેમની તબિયત વધુ ખરાબ થઈ છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે તેણે ફૅન્સને તેમના માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે. શાહીર ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ને કારણે ઓળખાય છે. તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સું જાણીતું નામ છે. પિતાનો ફોટો ટ્વિટર પર શૅર કરીને શાહીરે ટ્વીટ કર્યું હતું, ‘મારા પિતા વેન્ટિલેટર પર છે. તેમને કોવિડનું ભયંકર ઇન્ફેક્શન થયું છે. પ્લીઝ તેમના માટે પ્રાર્થના કરો.’

entertainment news indian television television news coronavirus covid19