‘લાલો’ ફિલ્મની કાસ્ટને મળવા રાજકોટના મૉલમાં નાસભાગ જેવી સ્થિતિ, મૅનેજર સામે ગુનો નોંધાયો

03 December, 2025 05:53 PM IST  |  Rajkot | Gujarati Mid-day Online Correspondent

અહેવાલ મુજબ, અસ્તવ્યસ્ત વાતાવરણ જોઈને, ફિલ્મ `લાલો`ના પ્રમોશન માટે આવેલા કલાકારોએ તાત્કાલિક કાર્યક્રમ રદ કર્યો હતો. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે ધ્યાનમાં રાખીને, કલાકારો તરત જ મૉલ છોડીને રાજકોટમાં તેમનો પ્રમોશનલ કાર્યક્રમ ટૂંકાવી દીધો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)

ગુજરાતનાં રાજકોટના ક્રિસ્ટલ મૉલમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન દરમિયાન નિરયન થયેલી નાસભાગ જેવી પરિસ્થિતિ બાદ થયેલી અંધાધૂંધી અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ક્રિસ્ટલ મૉલના મૅનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે સૂચનાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે, કારણ કે ક્રિસ્ટલ મૉલના મૅનેજરે કોઈ વ્યક્તિને કોઈ સૂચના આપી ન હતી. ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ની સ્ટાર કાસ્ટ આ મૉલમાં આવી હતી. તેમને જોવા લોકોની મોટી ભીડ આવી જતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઇ હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક સગીર છોકરી એસ્કેલેટર પાસે લપસી ગઈ હોવાનું પણ જોવા મળ્યું છે. દરમિયાન ભીડમાં બે સતર્ક લોકોએ તાત્કાલિક આગળ આવ્યા અને તેને સલામત સ્થળે લઈ ગયા, જેનાથી ગંભીર અકસ્માત ટાળી થતાં રોકાઈ ગયો. વીડિયોમાં મૉલ સ્ટાફ અને સુરક્ષા ટીમો પરિસ્થિતિને હળવી કરવાનો, લોકોને કાળજીપૂર્વક માર્ગદર્શન આપવા અને વિસ્તારને સ્થિર કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.

અહેવાલ મુજબ “મૉલના મેનેજરે કોઈપણ પૂર્વ પરવાનગી વિના ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે સ્ટેજ બનાવીને ફિલ્મ લાલોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને સ્ટાર કાસ્ટને પ્રમોશન માટે આમંત્રણ આપ્યું હતું. આના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSI આ મામલે ફરિયાદી બન્યા છે. ફરિયાદી બનેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન. વી. ચાવડાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ 2 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, રાત્રે 9:15 વાગ્યે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે ફિલ્મ `લાલો`ના કલાકારો ક્રિસ્ટલ મૉલમાં એક પ્રમોશનલ પ્રવૃત્તિ માટે આવ્યા હતા અને ખૂબ મોટી ભીડ એકઠી થઈ હતી.

લાલો ટીમનો અધવચ્ચે જ કાર્યક્રમ રદ કર્યો

અહેવાલ મુજબ, અસ્તવ્યસ્ત વાતાવરણ જોઈને, ફિલ્મ `લાલો`ના પ્રમોશન માટે આવેલા કલાકારોએ તાત્કાલિક કાર્યક્રમ રદ કર્યો હતો. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે ધ્યાનમાં રાખીને, કલાકારો તરત જ મૉલ છોડીને રાજકોટમાં તેમનો પ્રમોશનલ કાર્યક્રમ ટૂંકાવી દીધો હતો.

ફિલ્મ વિશે

અંકિત સખિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. લગભગ 1.2 કરોડ રૂપિયા (ફિલ્મ બનવાથી લઈને માર્કેટિંગ મળીને) માં બનેલી આ ફિલ્મે 100 કરોડ કરતાં વધુનું કમાણી કરી લીધી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત વાત કરીએ તો અભિનેત્રી રીવા રાચ્છ ‘તુલસી’ શ્રીહદ ગોસ્વામી ‘લાલો અથવા શ્રી ક્રુષ્ણ’ કરણ જોશી ‘લાલજી ધનસુખ પરમાર’ના મુખ્ય પાત્ર તરીકે જોવા મળ્યા હતા. આ સાથે ફિલ્મની બાકીની કાસ્ટની પણ ખૂબ જ ચર્ચા થઈ હતી.

rajkot dhollywood news gujarat news viral videos gujarat entertainment news