કૃષ્ણમય બન્યું માધવપુર

08 April, 2025 10:10 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનાં લગ્નમાં મહાલવા અને માધવપુરના મેળાને માણવા લોકો ઊમટ્યા : ગુજરાત અને ઉત્તર પૂર્વીય ભારતના કલાકારોએ લોકસંસ્કૃતિને ધબકતી કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ

માધવપુરના મેળામાં ઊમટેલા નાગરિકો.

સૌરાષ્ટ્રના ખ્યાતિપ્રાપ્ત માધવપુરમાં શરૂ થયેલા ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નોત્સવમાં મહાલવા અને માધવપુરના મેળાને માણવા લોકો ઊમટ્યા હતા જેને પગલે આખું માધવપુર શ્રીકૃષ્ણમય બન્યું હોય એવો નઝારો સર્જાયો હતો. માધવપુરના મેળામાં ગઈ કાલે ગુજરાત અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કલાકારોએ પોતાની લોકસંસ્કૃતિને સ્ટેજ પર ધબકતી કરીને રંગ જમાવ્યો હતો. ૧૬૦૦ જેટલા કલાકારોએ એક પછી એક લોકનૃત્યો રજૂ કરીને ઉપસ્થિત સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

રામનવમીના પર્વ પર કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.

saurashtra festivals ram navami religion religious places bhupendra patel porbandar culture news gujarat gujarat news news