10 October, 2025 11:07 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથ અને દ્વારકાની મુલાકાત લઈને ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં અને ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરશે. એટલું જ નહીં, તેઓ સાસણગીરમાં આવેલા જગપ્રસિદ્ધ ગીર નૅશનલ પાર્કમાં સિંહોને જોવા જશે. આ ઉપરાંત સોમનાથ મંદિરના પરિસરમાં મૂકવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત સ્થાનિક આદિવાસી સમાજના લોકો સાથે વાતચીત કરશે. આ પછી ૧૧ ઑક્ટોબરે ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા જશે. ત્યાં મંદિરમાં જઈને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરીને પ્રભુની આરતી ઉતારશે. સાંજે તેઓ અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં કૉન્વોકેશનમાં હાજરી આપશે.