છૂટક તેલના વેચાણ પરનો બૅન હટાવવા સરકારને ૧૫ દિવસનું અલ્ટિમેટમ

24 August, 2026 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપારી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે તો રાજ્યભરના વેપારીઓ રસ્તા પર ઊતરીને આંદોલન કરશે

પ્રતીકાત્મક તસવીર

ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢે દ્વારા રાજ્યમાં છૂટક ખાદ્યતેલના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે વેપારીઓમાં ભારે રોષ ભડકી ઊઠ્યો છે. આ નિર્ણયના વિરોધમાં નાશિક ખાતે રાજ્યભરના ખાદ્યતેલ વેપારીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં તુકારામ મુંઢેના આ નિર્ણયને અદાલતમાં પડકારવાનો અને રાજ્ય સરકારને નિર્ણય પાછો ખેંચવા ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે તો રાજ્યભરના વેપારીઓ રસ્તા પર ઊતરીને આંદોલન કરશે અને કેન્દ્ર સરકાર સમક્ષ પણ રજૂઆત કરશે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra