13 June, 2026 11:26 AM IST | Latur | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં વીજળી પડવાથી બળદ ગુમાવ્યા બાદ પત્નીને હળે જોતરવા મજબૂર બનેલા ખેડૂત કાશીનાથ ગાયકવાડનો મામલો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. બે દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થયા બાદ સરકારે ત્વરિત કાર્યવાહી કરીને આ પરિવારને એક બળદ ભેટ આપ્યો હતો. જોકે આ બળદ ખેતીકામ માટે અક્ષમ સાબિત થતાં હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતે ફરી હસ્તક્ષેપ કરીને ખેડૂત દંપતીને બજારમાંથી તેમની જ પસંદગીનો બીજો નવો અને તંદુરસ્ત બળદ ખરીદી આપવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે આ વિશેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મેં લાતુરના જિલ્લા-કલેક્ટરને સૂચના આપી છે કે તેઓ પોતે ખેડૂત દંપતીને પશુબજારમાં લઈ જાય અને તેમને જે બળદ ગમે એ સરકારી ખર્ચે ખરીદી આપે.