04 December, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર અને દીકરો જય
મહારાષ્ટ્રના રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવાર અને તેમના પરિવારના અન્ય સભ્યોનો રાજ્યના રાજકારણ પર વર્ષોથી પ્રભાવ રહ્યો છે. હાલમાં જ યુગેન્દ્ર પવારનાં લગ્નની શરણાઈઓ વાગી હતી અને સુપ્રિયા સુળે પણ એમાં હરખભેર નાચ્યાં હતાં. હવે આજથી અજિત પવારના દીકરા જયનાં લગ્નની શરણાઈઓ વાગી છે, પણ એ લગ્ન મુંબઈ કે મહારાષ્ટ્રમાં કે પછી ભારતમાં નહીં પણ બાહરિનમાં યોજાઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણા સમયથી લોકોને ભારતમાં જ લગ્ન કરવાની હાકલ કરે છે, પણ મહારાષ્ટ્ર સરકારમાં તેમના જ સાથીપક્ષે આ વાતની અવગણના કરી છે. આ જલસામાં બન્ને પક્ષો તરફથી માત્ર ૪૦૦ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. એમાં પણ NCPના તો માત્ર પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે મેંદી છે અને એ પછી હલ્દી અને જાન જશે. શુક્રવારે લગ્ન, શનિવારે સંગીત સેરેમની અને રવિવારે રિસેપ્શન રાખવામાં આવ્યું છે.