21 August, 2026 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થનારી પ્રગતિ મોરે (ડાબે) અને મૃત્યુ પામનારી શ્રેયા મિસાળ (જમણે).
નાલાસોપારા-ઈસ્ટના દત્તનગરમાં આવેલા સેન્ટ્રલ પાર્કમાં કાર ચલાવી રહેલા એક ટીનેજરે કાર પરથી કાબૂ ગુમાવીને ત્યાં ચાલતી બે મહિલાઓને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સગીર આરોપી ઘટનાસ્થળેથી કાર સાથે ભાગી ગયો હતો. આ ઘટનામાં ૩૬ વર્ષની પ્રગતિ મોરે અને ૩૨ વર્ષની શ્રેયા મિસાળને ગંભીર ઈજાઓ થતાં તેમને નજીકના નગીનદાસ પાડાની રકિયા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
શ્રેયા મિસાળને માથામાં, કમરમાં, પીઠમાં અને ઘૂંટણમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પ્રગતિ મોરે પણ ગંભીર ઘાયલ થઈ હતી અને તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે આ મામલે કારના માલિક રાજેશ શાહ તથા કાર ચલાવી રહેલા ટીનેજર મહેશ નાઈક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ તુળીંજ પોલીસ-સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે કારમાં દારૂની બૉટલો પણ હતી. પોલીસે આ દિશામાં પણ તપાસ કરી રહી છે.