અમને ન્યાય મળવો જોઈએ, મારા પિતાનું બલિદાન વ્યર્થ નહીં જાય : ઝીશાન સિદ્દીકી

18 October, 2024 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબા સિદ્દીકીની હત્યા થયાના પાંચ દિવસ બાદ ગઈ કાલે પહેલી વાર તેમના દીકરા ઝીશાન સિદ્દીકીએ પ્રતિક્રિયા આપી છે

ઝીશાન સિદ્દીકી

બાબા સિદ્દીકીની હત્યા થયાના પાંચ દિવસ બાદ ગઈ કાલે પહેલી વાર તેમના દીકરા ઝીશાન સિદ્દીકીએ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું છે કે ‘મારા પિતાએ ગરીબ અને નિર્દોષ લોકોનાં જીવ અને ઘર બચાવવા જતાં જીવ ખોયો છે. આજે અમારો પરિવાર પડી ભાંગ્યો છે, પણ મારા પિતાના મૃત્યુ પર રાજકારણ ન થવું જોઈએ. તેમનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ. મને ન્યાય જોઈએ છે, અમારા પરિવારને ન્યાય જોઈએ છે.’

બાબા સિદ્દીકીની શનિવારે રાતે હત્યા થયા બાદ બુધવારે પોલીસે ઝીશાનનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. ગઈ કાલે પણ તે મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસે આવ્યો હતો અને ત્રણ કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેના બહાર આવ્યા બાદ જ્યારે પત્રકારોએ તેને સવાલ કર્યા ત્યારે તેણે કહ્યું હતું કે તે કશું બોલવાની મનઃસ્થિતિમાં નથી.   

baba siddique zeeshan siddique murder case mumbai police Crime News mumbai crime news mumbai crime branch crime branch mumbai mumbai news