JJC સેન્ટ્રલ બોર્ડ, JJC સેન્ટ્રલ બોર્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા જૈન લગ્નોત્સુક યુવાનો માટે પરિચય મિલનનું આયોજન

16 May, 2025 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર ત્રણ મહિને યુવક-યુવતી પરિચય મિલનનું આયોજન કરવામાં આવશે. JJC નૉર્થ-ઈસ્ટની ઑફિસમાં દર બુધવારે અને શનિવારે બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી માર્ગદર્શન આપવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

જૈન જાગૃતિ સેન્ટર (JJC) સેન્ટ્રલ બોર્ડ અને JJC સેન્ટ્રલ બોર્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત જૈન પરિવારના લગ્નોત્સુક માટે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જૈન લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે JJC નૉર્થ-ઈસ્ટ દ્વારા બનાવવામાં આવેલી ખાસ વેબસાઇટ https://vivaah.jjcnortheast.comનું લોકાર્પણ માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયાના વરદ હસ્તે કરવામાં આવશે. શનિવારે ૧૭ મેએ સવારે ૮ વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમ્યાન ઘાટકોપર-ઈસ્ટમાં તિલકનગર રોડ પર આવેલા ભાનુશાલી બૅન્ક્વેટ ખાતે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરીને એની સેવાઓનો લાભ લઈ શકાય છે. ૩૧ જુલાઈ સુધી નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. દર ત્રણ મહિને યુવક-યુવતી પરિચય મિલનનું આયોજન કરવામાં આવશે. JJC નૉર્થ-ઈસ્ટની ઑફિસમાં દર બુધવારે અને શનિવારે બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી માર્ગદર્શન આપવામાં આવશે.

આ વિશે વધુ માહિતી મેળવવા માટે ડિમ્પલ પંડ્યા અને પ્રિયંકા ખેતાનને ૯૮૨૦૧૯૧૮૫૭ નંબર પર માત્ર વૉટ્સઍપ દ્વારા સંપર્ક કરી શકાય અથવા ૯૮૨૦૦૪૮૮૫૧ નંબર પર સોમવારથી શનિવાર ૧૦થી ૨ અને ૩થી ૫ વાગ્યા દરમ્યાન ફોન કરી શકાય. ઑફિસ-ઍડ્રેસ : ઑફિસ નંબર ૨, C/O-રમેશ સ્ટોન સપ્લાય કંપની, શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ, હિંગવાલા લેન, ઘાટકોપર-ઈસ્ટ.

jain community gujaratis of mumbai gujarati community news ghatkopar mumbai news mumbai new