26 January, 2022 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 73મા ગણતંત્ર દિવસના અવસરે દક્ષિણ મુંબઈ સ્થિત પોતાના ઑફિશિયલ રહેણાંક પર બુધવારે તિરંગો લહેરાવ્યો. ઠાકરેએ એક મેસેજ દ્વારા નાગરિકોને શુભેચ્છાઓ આપી અને આ વાતનો વિશ્વાસ અપાવ્યો કે સંગઠિત દેશ કોઈપણ ચેતવણીનો સામનો કરી શકે છે.
તેમણે કહ્યું કે ભારતને સ્વતંત્રતા સૈનિકોએ આપેલા બલિદાન, ત્યાગ અને સંઘર્ષને કારણે આઝાદી મળી.
તિરંગો લહેરાવવા માટે આયોજિત સમારોહમાં ઠાકરેની પત્ની રશ્મિ, પુત્ર તેમજ રાજ્ય સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે, રાજ્યના મુખ્ય સચિવ દેબાશીષ ચક્રવર્તી અને મુખ્યમંત્રીના પ્રધાન સચિવ વિકાસ ખડગે હાજર હતા.