મહાપરિનિર્વાણ દિન નિમત્તે સરકારી અને અર્ધસરકારી ઑફિસોને રજા

04 December, 2025 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ છે

ડૉ. બાબાસાહેબ આંબેડકર

દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ છે અને એ દિવસની ઉજવણી મહાપરિનિર્વાણ દિન તરીકે થાય છે. એ દિવસે તેમના આદર્શો, સિદ્ધાંતો અને તેમણે દલિત અને પછાત સમાજ માટે કરેલાં સામાજિક કાર્યોને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. દાદરમાં ચૈત્યભૂમિ પર તેમના સ્મારક પર દેશના ખૂણે-ખૂણેથી તેમના અનુયાયીઓ આવી તેમને શ્રદ્ધાંજલિ આપે છે. રાજ્ય સરકારે એ નિમિત્તે ૬ ડિસેમ્બરે સરકારી અને અર્ધસરકારી ઑફિસોમાં રજા જાહેર કરી છે.

mumbai news mumbai maharashtra government maharashtra maharashtra news babasaheb ambedkar