16 June, 2025 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : આશિષ રાજે
અષાઢી વારી માટે પંઢરપુર જતા પદયાત્રીઓની સેવા માટે દાદરના માઉલી ચૅરિટેબલ ઍન્ડ મેડિકલ ટ્રસ્ટ ઑફ મુંબઈની ટીમ પણ આ યાત્રામાં જોડાઈ છે. રવિવારે દાદરમાં ટ્રસ્ટ દ્વારા શ્રી સ્વામી સમર્થના પાદુકારથનું પ્રસ્થાન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિઠોબાના કીર્તનમાં ભાવવિભોર બનીને નિષ્ણાત ડૉક્ટરો પણ ‘વિઠ્ઠલ... વિઠ્ઠલ...’ના નાદે ઝૂમતા દેખાયા હતા. ૮ ઍમ્બ્યુલન્સ સાથે ૪૫૦થી વધુ ડૉક્ટરો આળંદીથી પંઢરપુર જતા પદયાત્રીઓની સેવામાં કાર્યરત રહેશે. છેલ્લાં ૩૩ વર્ષથી માઉલી ટ્રસ્ટ દ્વારા આ યાત્રામાં પદયાત્રીઓ ઉપરાંત રસ્તામાં આવતાં આદિવાસી ગામોના લોકો માટે મોબાઇલ ડિસ્પેન્સરી, ફ્રી મેડિકલ કૅમ્પ, બ્રેસ્ટકૅન્સર, એઇડ્સ, ચાઇલ્ડકૅર માટેના અવેરનેસ કૅમ્પ વગેરેનું આયોજન કરવામાં આવે છે.