18 May, 2026 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય ચૂંટણી પંચે (Election Commission of India)એ સોમવારે રાજ્યભરની ૧૭ સ્થાનિક સત્તાધિકારી મતવિસ્તારોમાંથી મહારાષ્ટ્ર વિધાન પરિષદ (Maharashtra Legislative Council)ની દ્વિવાર્ષિક ચૂંટણીઓની જાહેરાત કરી છે, તેની સાથે નાગપુર સ્થાનિક સત્તાધિકારી મતવિસ્તાર માટે પેટાચૂંટણી (Nagpur Local Authorities’ Constituency)ની પણ જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર, આગામી ૧૮ જૂનના રોજ મતદાન યોજાશે અને ૨૨ જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અખબારી યાદી મુજબ, ચૂંટણી પંચે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા (MLC Elections in Maharashtra) માટે ખૂબ જ ચુસ્ત સમયપત્રક જાહેર કર્યું છે, જે જૂન મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ચૂંટણી પ્રક્રિયા માટેનું સત્તાવાર જાહેરનામું (નોટિફિકેશન) ૨૫ મેના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્રો (નોમિનેશન) ભરવાની છેલ્લી તારીખ ૧ જૂન રહેશે, જ્યારે ૨ જૂનના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી (સ્ક્રુટિની) હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૪ જૂન નક્કી કરવામાં આવી છે.
ભારતીય ચૂંટણી પંચ (ECI)એ સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદ (MLC)ની સ્થાનિક સત્તાધિકારી મતવિસ્તારોની ૧૬ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરી છે, જે અંતર્ગત ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ મતદાન યોજાશે. એક સત્તાવાર અખબારી યાદીમાં પંચે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ૧૬ સ્થાનિક સત્તાધિકારી મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોની મુદ્દત ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ સમયે પૂર્ણ થઈ ગઈ હતી. જો કે, કાર્યરત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને મતદારોની ઉપલબ્ધતા સંબંધિત અનિવાર્ય માપદંડો પૂર્ણ ન થવાને કારણે અગાઉ આ ચૂંટણીઓ (MLC Elections in Maharashtra) યોજી શકાઈ ન હતી.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે તેની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણી યોજવા માટે સંબંધિત મતવિસ્તારની ઓછામાં ઓછી ૭૫ ટકા સ્થાનિક સંસ્થાઓ કાર્યરત હોવી જોઈએ અને ઓછામાં ઓછા ૭૫ ટકા મતદારો ઉપલબ્ધ હોવા અનિવાર્ય છે. મહારાષ્ટ્રના મુખ્ય નિર્વાચન અધિકારી (Chief Electoral Officer) એ હવે પંચને માહિતગાર કર્યા છે કે તમામ સંબંધિત મતવિસ્તારોમાં આ જરૂરી શરતો પૂર્ણ થઈ ગઈ છે.
આ માહિતી મહારાષ્ટ્ર વિધાન પરિષદ (MLC) ના તે સભ્યોની છે જેમની મુદ્દત ૨૦૨૨ થી ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ સમયે પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આ જ બેઠકો (સ્થાનિક સત્તાધિકારી મતવિસ્તારો) માટે આગામી ૧૮ જૂન, ૨૦૨૬ ના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.
નાગપુર સ્થાનિક સત્તાધિકારી મતવિસ્તારની ૧૭મી બેઠક માટે પણ આગામી ૧૮ જૂનના રોજ મતદાન યોજાશે. ભાજપના ધારાસભ્ય ચંદ્રશેખર બાવનકુળે (Chandrashekhar Bawankule)એ રાજીનામું આપતાં ૨૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ આ બેઠક ખાલી પડી હતી.
ચંદ્રશેખર બાવનકુળેનો મૂળ કાર્યકાળ ૧ જાન્યુઆરી, ૨૦૨૮ સુધીનો હતો, પરંતુ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કામઠી (Kamthi) બેઠક પરથી ચૂંટણી લડીને વિજેતા બન્યા બાદ તેમણે વિધાન પરિષદની આ બેઠક ખાલી કરી હતી.
આગામી પેટાચૂંટણી દ્વારા ૨૦૨૨ થી પેન્ડિંગ રહેલી ખાલી બેઠકો ભરવામાં આવશે.
ચૂંટણી પંચની જાહેરાત સાથે જ તમામ સંબંધિત મતવિસ્તારોમાં તાત્કાલિક અસરથી `આદર્શ આચારસંહિતા` (Model Code of Conduct - MCC) લાગુ થઈ ગઈ છે.
આ વિસ્તારોમાં રાજકીય પક્ષો અને વર્તમાન પ્રતિનિધિઓએ ચૂંટણી પંચ (ECI)ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આ નિયમો અનુસાર, આગામી ૨૫ જૂનના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત મતદાન ક્ષેત્રોમાં નવી નીતિઓની જાહેરાત કરવા, વહીવટી બદલીઓ (ટ્રાન્સફર) કરવા અને સરકારની મોટી જાહેરાતો આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, મહારાષ્ટ્ર વિધાન પરિષદ (MLC) ચૂંટણીનું સંપૂર્ણ ટાઈમટેબલ નીચે મુજબ છે: