Mumbai Road Accident: બાપ્પાના આગમનનો હર્ષ ફીકો પડી ગયો આ મંડળ માટે, કાર્યકરોને નડ્યો ભીષણ અકસ્માત

07 September, 2024 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Road Accident: એક કાર્યકરનું કરુણ મોત નીપજ્યું છે તેમ જ અન્ય એક કાર્યકરની હાલત ગંભીર છે. પોલીસ ફરિયાદ નોંધી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

આજથી મુંબઇમાં જ્યારે સર્વત્ર ગણેશોત્સવના પ્રારંભનો અનેરો ઉત્સવ છવાયેલો છે ત્યારે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મુલુંડના રાજા ગણેશ મંડળ માટે આ વર્ષે ગણેશોત્સવની શરૂઆતમાં જ દુખદ સમાચાર છે. આ મંડળના કાર્યકરોમાં બાપ્પાના આગમનની ખુશી શોકમાં ફેરવાઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 4 વાગ્યાની આસપાસ આ મંડળના બે કાર્યકરોને ભયંકર અકસ્માત (Mumbai Road Accident) નડ્યો હતો.

એક કાર્યકરનું કરું મોત, એકની હાલત નાજુક 

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે એક કાર્યકરનું કરુણ મોત નીપજ્યું છે તેમ જ અન્ય એક કાર્યકરની હાલત ગંભીર (Mumbai Road Accident) છે. જોકે, આ કાર્યકરોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ નોંધી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

આ સાથે જ એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. જેમાં આ બંને કાર્યકરો બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી એક કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે એક કાર્યકરનું કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી છે. અત્યારે તો પોલીસે આ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

શું કહી રહી છે પોલીસ?

આ કરૂણ દુર્ઘટના (Mumbai Road Accident) બાદ પોલીસ જણાવી રહી છે કે નવઘર પોલીસે આ મુદ્દે કેસ દાખલ કર્યો છે અને કાર ડ્રાઇવરની શોધ પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રસિદ્ધ ‘મુલુંડ ચા રાજા ગણપતિ મંડળ’ના બે કાર્યકરોને ઝડપી કારે ટક્કર મારી હતી, આ ઘટના સવારે સુમારે 4:00 વાગ્યાની આસપાસ બની હતી, અત્યારે અમે કેસ નોંધ્યો છે અને કાર ચાલકની શોધ પણ આદરી છે. મુંબઈ પોલીસનું નિવેદન તેમ જ કેસ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં ગઈકલે થયો હતો ગંભીર અકસ્માત

હજી તો ગઈકલે જ હાથરસમાં થયેલા ગંભીર અકસ્માત (Mumbai Road Accident)ના સમાચાર સામે આવ્યા હતા. શુક્રવારે નેશનલ હાઈવે 93 પર રોડવેઝની બસ પાછળથી વાહનને ટક્કર મારતાં વાનમાં મુસાફરી કરી રહેલા ચાર મહિલાઓ અને એટલી જ સંખ્યામાં બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં હતાં.

આ મુદે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત પગલાં લેવાનો નિર્દેશ પણ આપ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.

mumbai news mumbai mulund road accident mumbai police