બાળાસાહેબ આજે નથી એ એક રીતે સારું જ છે

24 January, 2026 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના સ્થાપક અને પ્રમુખ બાળ ઠાકરેની ગઈ કાલે જન્મશતાબ્દી હતી

બાળ ઠાકરેની જન્મશતાબ્દી નિમિત્તે ગઈ કાલે ષણ્મુખાનંદ હૉલમાં યોજાયેલા સંયુક્ત સંબોધન વખતે શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે (તસવીરો : આશિષ રાજે)

શિવસેનાના સ્થાપક અને પ્રમુખ બાળ ઠાકરેની ગઈ કાલે જન્મશતાબ્દી હતી. એ નિમિત્તે ગઈ કાલે ષણ્મુખાનંદ હૉલમાં યોજાયેલા પ્રોગ્રામમાં રાજ ઠાકરેએ અને ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોને સંબોધીને કરેલી વાતોના અંશ...

રાજ ઠાકરે

બાળાસાહેબ ઠાકરેનું વ્યક્તિમત્વ હજી સુધી કોઈને સમજાયું જ નથી. એના પર સ્વતંત્ર વ્યાખ્યાન આપવાનું ગમશે.

હાલ રાજ્યમાં ખાસ કરીને કલ્યાણ–ડોમ્બિવલીમાંની ઘટનાઓ જોઈને મોળ ચડે છે.  

બાળાસાહેબ આજે નથી એ એક રીતે સારું જ થયું.

બાળાસાહેબ બદલની મહારાષ્ટ્રના શિવસૈનિકોની શ્રદ્ધા તસુભાર ઓછી થશે નહીં.

ઉદ્ધવ ઠાકરે

BJP જો એમ વિચારતી હોય કે એ શિવસેનાને ખતમ કરી નાખશે તો એ શક્ય નથી કારણ કે શિવસેના રાજકીય પક્ષ જ નહીં, એક વિચાર પણ છે.

ઘણા લોકોએ ઠાકરે નામ ભૂંસવાની કોશિશ કરી, પણ એ ન થઈ શક્યું.

આ વખતે BMCની ચૂંટણીમાં પહેલી વાર મનીપાવર વાપરવામાં આવ્યો.  

raj thackeray maharashtra navnirman sena uddhav thackeray shiv sena bal thackeray political news maharashtra news maharashtra mumbai mumbai news