સંજય રાઉતે અમિત શાહ પર કર્યા પ્રહાર, પીએમને કરી ગૃહ પ્રધાનના રાજીનામાની માગણી

01 May, 2025 06:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sanjay Raut demands Amit Shah`s Resignation: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટનાથી સમગ્ર દેશ રોષે ભરાયો છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે આ હુમલા અંગે કેન્દ્ર સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

સંજય રાઉત (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટનાથી સમગ્ર દેશ રોષે ભરાયો છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે આ હુમલા અંગે કેન્દ્ર સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માગ કરી છે. રાઉતે કહ્યું કે કાશ્મીરની સુરક્ષાની જવાબદારી ગૃહ મંત્રાલય અને સેનાની છે. તેથી, વડા પ્રધાને ગૃહ મંત્રાલય સામે કાર્યવાહી કરવી જોઈએ.

અમિત શાહના રાજીનામાની માગ કરી
સંજય રાઉતે કહ્યું કે સરકારની બધી ભૂલોને સમર્થન આપવામાં આવશે નહીં. સરકાર વારંવાર ભૂલો કરી રહી છે અને એક પણ ભૂલને ભૂલવામાં આવશે નહીં. તેમણે અમિત શાહના રાજીનામાની માગ કરી છે. રાઉતે કહ્યું કે જો અમિત શાહની જગ્યાએ તેમની પાર્ટીના કોઈ મંત્રી હોત તો તેમણે આજ રીતે રાજીનામાની માગણી કરી હોત. રાઉતે કહ્યું કે વિપક્ષનું કામ સરકારને પ્રશ્નો પૂછવાનું છે, અને તેમા કઈ ખોટું નથી. તેમણે સર્વપક્ષીય બેઠકને નકામી ગણાવી અને કહ્યું કે કાશ્મીર પર ચર્ચા કરવા માટે એક ખાસ સત્ર બોલાવવું જોઈએ. રાઉતે આરોપ લગાવ્યો કે સરકાર કાશ્મીર અને મણિપુર વિશે વાત કરવા માગતી નથી.

ખાસ સત્રની માગણી 
સંજય રાઉતે કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં ફક્ત તાળીઓ પાડવાથી કંઈ થશે નહીં. તેમણે માગ કરી કે એક ખાસ સત્ર બોલાવવામાં આવે અને તે સત્રમાં બે દિવસ માટે કાશ્મીર પર ચર્ચા કરવામાં આવે. તેમણે કહ્યું કે સુરક્ષાની જવાબદારી ગંભીરતાથી ન લેવા બદલ ગૃહ મંત્રાલય સામે કાર્યવાહી થવી જોઈએ. રાઉતે કહ્યું કે 26 લોકો સરકારની બેદરકારીનો ભોગ બન્યા છે. આ ઘટનાને તેમણે સરકાર દ્વારા માનવ બલિદાન ગણાવ્યું. રાઉતના મતે, સરકારની બેદરકારીને કારણે આટલા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

પુલવામા હુમલાનો ઉલ્લેખ
પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા રાઉતે કહ્યું કે તે સમયે કાર્યવાહી કેમ કરવામાં આવી નહોતી? તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે પુલવામામાં 40 સૈનિકો માર્યા ગયા, તેમને કોણે માર્યા? રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદનનો ઉલ્લેખ કરીને રાઉતે કહ્યું કે મલિકે વારંવાર કહ્યું હતું કે સૈનિકોને રોડ માર્ગે પરિવહન ન કરવું જોઈએ. રાઉતે કહ્યું કે જો કોઈ કહે કે સરકાર રાજકીય લાભ માટે સૈનિકોને મારવા માગતી હતી, તો તેને દેશદ્રોહી કહેવામાં આવે છે.

સર્જિકલ સ્ટ્રાઈક પર કરી કટાક્ષપૂર્ણ ટિપ્પણી
સંજય રાઉતે સર્જિકલ સ્ટ્રાઈક પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ દરેક ગલીમાં સર્જિકલ સ્ટ્રાઈક કરે છે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 50 વર્ષથી પોતાના વિરોધીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી રહ્યા છે. ખરેખર સાચા હુમલા તો ઈન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યા હતા. ત્યારે જ,પ્રધાનમંત્રીએ સર્વપક્ષીય બેઠકમાં હાજરી ન આપીને પૂર્વ-આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી. તેઓ બિહારમાં એક ચૂંટણી પ્રચાર સભામાં ગયા હતા. પણ રાહુલ ગાંધીએ પૂર્વ આયોજિત કાર્યક્રમ રદ કર્યો અને સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી.

sanjay raut narendra modi amit shah home ministry Pahalgam Terror Attack terror attack jammu and kashmir kashmir pulwama district indira gandhi rahul gandhi bharatiya janata party congress mumbai news news