પુણે-લોનાવલા રેલવે રૂટને જલદી મળી શકે છે ત્રીજી ને ચોથી લેન

18 October, 2025 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકાર પચાસ ટકા ખર્ચ ભોગવવા તૈયાર થતાં પ્રોજેક્ટને ગતિ મળી, કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી પછી કામગીરી શરૂ થશે

અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રાજ્યપ્રધાન મુરલીધર મોહોળ કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે પુણે-લોનાવલા ત્રીજી અને ચોથી લાઇન તથા પુણે રેલવે-સ્ટેશનના આધુનિકીકરણ જેવાં કામો અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મોહોળે રેલવેપ્રધાન પાસે એવી પણ માગણી કરી હતી કે નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટને જોડતી એક સમર્પિત ટ્રેનસેવા મધ્ય રેલવે દ્વારા શરૂ કરવામાં આવે.

પુણે-લોનાવલા ત્રીજી અને ચોથી લાઇનનો મુદ્દો ઘણાં વર્ષોથી પેન્ડિંગ છે. તાજેતરમાં રાજ્ય સરકારે આ લાઇનોના ખર્ચના ૫૦ ટકા ખર્ચ ભોગવવા માટેની સંમતિ આપી હતી.

કેન્દ્રીય રાજ્યપ્રધાન મુરલીધર મોહોળે એવું પણ જણાવ્યું હતું કે ‘હવે આ લેન માટે કૅબિનેટની મંજૂરી જરૂરી છે એટલે જ રેલવેપ્રધાન સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ટૂંક સમયમાં નિર્ણય લેવાની ખાતરી આપી છે અને પુણે રેલવે-સ્ટેશનના ઝડપી વિકાસ માટે પણ ચર્ચા થઈ હતી.’

lonavla lonavala pune pune news maharashtra news maharashtra mumbai mumbai news indian railways