રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલાં મહંત નૃત્ય ગોપાલ દાસનો પત્ર, દાન ચોરી મામલે કડક કાર્યવાહીની કરી માગ

06 July, 2026 07:00 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

રામ મંદિરના દાન ચોરી મામલે મહંત નૃત્ય ગોપાલ દાસે પત્ર લખીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દોષિતોને કડક સજા આપવાની માંગ કરી છે. આજે યોજાનારી શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠકમાં ચોરીના કેસ, ઓડિટ રિપોર્ટ અને ટ્રસ્ટના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

પ્રતીકાત્મક તસવીર

Ram Mandir News રામ મંદિર દાનચોરી મામલે મહંત નૃત્ય ગોપાલ દાસે પત્ર લખી દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ ઘટનાથી તેઓ ખૂબ દુઃખી છે. જેણે પણ આ પાપ કર્યું છે, તેને કડક સજા મળવી જોઈએ એવી તેમણે માગ કરી છે. અયોધ્યા રામ મંદિર ચોરી મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક પહેલાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે પત્ર લખ્યો છે. આ પત્ર બાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પત્રમાં તેમણે રામ મંદિર ખાતે થયેલી ચોરીની ઘટનાને લઈને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે જેણે પણ આ પાપ કર્યું છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ.
અયોધ્યા રામ મંદિર ચોરી મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક પહેલાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે પત્ર લખ્યો છે. આ પત્ર બાદ રાજકીય ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે. પત્રમાં તેમણે રામ મંદિર ખાતે થયેલી ચોરીની ઘટનાને લઈને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે જેણે પણ આ પાપ કર્યું છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. સાથે જ તેમણે દાવો કર્યો છે કે તેમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ ઘટનામાં સામેલ દરેક વ્યક્તિને કડક સજા અપાવશે. તેમણે આ મામલે ચાલી રહેલી રાજનીતિ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે કોઈએ પોતાના વ્યક્તિગત લાભ માટે આ મુદ્દે રાજકારણ કરવું જોઈએ નહીં.

મહંત નૃત્ય ગોપાલ દાસે લખ્યો પત્ર

ટ્રસ્ટના અધ્યક્ષે પોતાના પત્રમાં લખ્યું કે “શ્રી રામલલાના મંદિરમાં થયેલી દાનની ચોરીથી હું ખૂબ દુઃખી છું. જેણે પણ આ પાપ કર્યું છે, તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. મને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ આ પાપમાં સામેલ દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરશે અને તેમને યોગ્ય સજા અપાવશે.”
તેમણે કહ્યું કે “આ કરોડો હિન્દુઓની આસ્થાનો પ્રશ્ન છે. મારી અપીલ છે કે કોઈપણ વ્યક્તિએ પોતાના વ્યક્તિગત લાભ માટે આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. મહંત નૃત્ય ગોપાલ દાસનો આ પત્ર એવા સમયે સામે આવ્યો છે, જ્યારે આજે બપોરે 3 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મંદિરના ચઢાવાની ચોરીના મામલા પર ચર્ચા થશે. સાથે જ ગયા નાણાકીય વર્ષની ઓડિટ રિપોર્ટ પર પણ વિચારણા કરવામાં આવશે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થવાની છે.

સોમવારે ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

અયોધ્યા રામ મંદિરના દાનચોરીના મામલાથી ટ્રસ્ટની છબીને મોટું નુકસાન થયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ટ્રસ્ટના સભ્યો ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. જોકે, નિર્ણય પહેલાં બંનેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવશે. આ મામલે ટ્રસ્ટ જે નિર્ણય લેશે, તે જ અંતિમ નિર્ણય માનવામાં આવશે.

ram mandir ayodhya uttar pradesh yogi adityanath narendra modi news national news