બનારસમાં ભગવાન બુદ્ધના અસ્થિકળશનાં દર્શન કરી શકાશે

04 November, 2025 11:01 AM IST  |  Kashi | Gujarati Mid-day Correspondent

કાશીની પાસે આવેલા બૌદ્ધધામ સારનાથમાં ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો હતો

બૌદ્ધધામ સારનાથ

કાશીની પાસે આવેલા બૌદ્ધધામ સારનાથમાં ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો હતો. વિશિષ્ટ મહત્ત્વ ધરાવતા સારનાથની મૂલગંધ કુટિવિહારમાં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા પહેલાંના ૩ દિવસ બુદ્ધ ભગવાનનો અસ્થિકળશ દર્શન માટે મૂકવામાં આવે છે. ગઈ કાલે આ દર્શનની શરૂઆત થઈ હતી અને આવતી કાલ સાંજ સુધી અસ્થિદર્શન થઈ શકશે. આ પ્રસંગે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સારનાથ મંદિરમાં આવી રહ્યા છે.

varanasi Kashi national news news