રેલવે મુસાફરો માટે એલર્ટ! એસી અને નૉન-એસી ટિકિટના ભાવ વધારવા જઈ રહ્યું છે રેલવે!

25 June, 2025 06:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Increase in fare in Indian Railway Trains: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે. આવતા મહિનાથી રેલ્વે મુસાફરોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. ભારતીય રેલ્વે કૉવિડ મહામારી પછી પહેલીવાર પેસેન્જર ટ્રેન ભાડામાં વધારો કરવા જઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે. આવતા મહિનાથી રેલ્વે મુસાફરોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. ખરેખર, ભારતીય રેલ્વે કૉવિડ-19 મહામારી પછી પહેલીવાર પેસેન્જર ટ્રેન ભાડામાં વધારો કરવા જઈ રહી છે. ભાડામાં વધારો 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે.

નૉન-એસી મેલ/એક્સપ્રેસ ટ્રેનો માટે ટિકિટના ભાવ
અહેવાલ મુજબ, નૉન-એસી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના મુસાફરીના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવશે. એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે. 500 કિમી સુધીની મુસાફરી માટે ઉપનગરીય ટિકિટ અને બીજા વર્ગના ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. 500 કિમીથી વધુ અંતર માટે, આ વધારો પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો રહેશે. આ ઉપરાંત, માસિક સીઝન ટિકિટમાં પણ કોઈ વધારો કરવામાં આવશે નહીં.

૧ જુલાઈથી અમલમાં આવનારા સુધારેલા ભાડા નીચે મુજબ છે:
1. ઉપનગરીય ભાડામાં કોઈ વધારો થશે નહીં. 
2. માસિક સીઝન ટિકિટના ભાવ યથાવત રહેશે.
3. સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીના અંતર માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં.
4. સેકન્ડ ક્લાસમાં 500 કિમીથી વધુ અંતર માટે, ભાડામાં પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો વધારો થશે.
5. મેલ અને એક્સપ્રેસ (નૉન-એસી) ટ્રેનોમાં ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે.
6. એસી ક્લાસમાં ભાડામાં પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો થશે.

તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર
તમને જણાવી દઈએ કે ઑનલાઈન તત્કાલ ટિકિટ સિસ્ટમમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. 1 જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર લિન્ક્ડ OTP વેરિફિકેશન ફરજિયાત બનશે. 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 10 જૂન, 2025 ના રોજ જાહેર કરાયેલા એક નિર્દેશ દ્વારા, રેલ્વે મંત્રાલયે તમામ રેલ્વે ઝોનને જાણ કરી છે કે આ નવી જરૂરિયાતનો હેતુ "તત્કાલ યોજનાના લાભો સામાન્ય યુઝર્સ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે." તમને જણાવી દઈએ કે સરકારનો આ નિયમ ઑનલાઈન બુકિંગ, રિઝર્વેશન કાઉન્ટર અને એજન્ટ દ્વારા કરવામાં આવતી બુકિંગ પર લાગુ થશે. તેનો હેતુ સામાન્ય લોકોને કન્ફર્મ તત્કાલ ટિકિટ સરળતાથી પૂરી પાડવાનો છે. નૉન-એસી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના મુસાફરીના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવશે. એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે. 500 કિમી સુધીની મુસાફરી માટે ઉપનગરીય ટિકિટ અને બીજા વર્ગના ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. ઉપનગરીય ભાડામાં કોઈ વધારો થશે નહીં. માસિક સીઝન ટિકિટના ભાવ યથાવત રહેશે. એસી ક્લાસમાં ભાડામાં પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો થશે.

railway protection force western railway railway budget indian railways central railway mumbai trains national news news