હનીમૂન માટે શિલોંગ ગયેલા દંપતી સાથે શું થયું? પતિના પીએમ રિપોર્ટમાં ખુલાસો

05 June, 2025 06:55 AM IST  |  Shillong | Gujarati Mid-day Online Correspondent

Indore couple went missing on their Honeymoon in Shillong: મધ્યપ્રદેશના ઇન્દોરથી હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ગયેલા નવપરિણીત યુગલ સાથે જે થયું તે કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. રાજા અને તેની પત્ની સોનમની 11 દિવસથી શોધ ચાલી રહી હતી.

રાજા રઘુવંશી અને સોનમ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મધ્યપ્રદેશના ઇન્દોરથી હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ગયેલા નવપરિણીત યુગલ સાથે જે થયું તે કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. રાજા અને તેની પત્ની સોનમની 11 દિવસથી શોધ ચાલી રહી હતી. બચાવ ટીમને રાજા રઘુવંશીનો મૃતદેહ મળ્યો ત્યારે પરિવારની આશાઓ ચકનાચૂર થઈ ગઈ. મૃતદેહ ખૂબ જ સડી ગયો હતો. પરિવારે રાજાની ઓળખ કરી લીધી. હાલમાં, તેની પત્ની સોનમની શોધ ચાલુ છે. હવે રાજાના પીએમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે, જેણે આ સમગ્ર રહસ્યને નવો ટ્વિસ્ટ આપ્યો છે.

ઇન્દોરના યુવાન ઉદ્યોગપતિ રાજા રઘુવંશી, જે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન માટે શિલોંગ ગયા હતા, તેમની હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સૈયમે આ માહિતી આપી છે.

પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ઈન્દોરથી શિલોંગ ગયેલા રાજા રઘુવંશીનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં હવે ખુલાસો થયો છે કે તે હત્યા હતી. રાજા પર વૃક્ષ કાપવાના હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સિમે આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કર્યું છે. પોલીસનું કહેવું છે કે હત્યાનો કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. રાજાના પરિવારે સીબીઆઈ તપાસની માગ કરી છે.

રાજા-સોનમ સાથે શું થયું
ઈન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી અને પત્ની સોનમ 22 મેના રોજ હનીમૂન માટે શિલોંગ ગયા હતા. શરૂઆતના થોડા દિવસો બંને તેમના પરિવાર સાથે સંપર્કમાં હતા. પછી અચાનક બંનેના ફોન બંધ થઈ ગયા. આનાથી ઈન્દોરમાં રહેતો તેમનો પરિવાર ખૂબ જ પરેશાન થઈ ગયો. આ પછી, પરિવારના કેટલાક સભ્યો પોતે શિલોંગ પહોંચ્યા. રાજા અને સોનમનો કોઈ પત્તો લાગ્યો નહીં. જ્યારે ત્યાં કોઈનો પત્તો લાગ્યો નહીં, ત્યારે પરિવાર તરત જ ઈન્દોર પાછો ફર્યો અને પોલીસને મદદ માટે વિનંતી કરી. આ પછી, પોલીસે પણ તેમના સ્તરે દંપતીની શોધ કરી, પરંતુ હજી સુધી કોઈ સુરાગ મળ્યો નહીં.

તાજેતરમાં, ઇન્દોરના ઍડ્વોકેટ વિકાસ જોશીનાં લગ્ન હજી ગયા મહિને ૧૬ એપ્રિલે શિવાની શર્મા સાથે થયેલાં. જોકે ટ્રેનના એક હાદસાએ આ સુંદર જોડીને વિખૂટી પાડી દીધી. શિવાની મૂળ ઝાલોનની રહેવાસી હતી અને લૉ ભણી રહી હતી. પતિ સાથે પરીક્ષા આપવા માટે તે મંગળવારે ઉરઈ ગઈ હતી. પરીક્ષા આપીને બુધવારે સાંજે તેઓ ઇન્દોર જવા ટ્રેનમાં બેઠાં હતાં. રાતના લગભગ નવ વાગ્યે શિવપુરી રેલવે-સ્ટેશનથી થોડેક દૂર શિવાનીને વૉમિટ જેવું લાગતાં તે કોચના ગેટ પાસે જઈને ઊભી રહી ગઈ. વિકાસ પણ તેની સાથે જ હતો, પણ પાણી લેવા સીટ પર પાછો આવ્યો. એ દરમ્યાન શિવાની ટ્રેનમાંથી પડી ગઈ. પાસે ઊભેલા એક યાત્રીએ કહ્યું કે તેનો પગ લપસી જતાં તે નીચે પડી ગઈ છે. વિકાસે તરત જ ટ્રેનની ચેઇન ખેંચી અને ટ્રેન રોકીને તે દોડતો પાછળ ગયો. રાતના અંધારામાં તેણે ટ્રૅક પર તપાસ કરી. શિવાનીને ગોદમાં ઉઠાવીને તે નજીકના ક્રૉસિંગ સુધી દોડ્યો. જોકે ગવર્નમેન્ટ પોલીસે તેને મદદ કરવાને બદલે નિયમ-કાનૂનની વાતો કરીને કાગળો પર સાઇન કરાવવામાં સમય બગાડ્યો. એ પછી વિકાસને ક્રૉસિંગ પાસે એક કારવાળો મળ્યો જેણે તેમને હૉસ્પિટલ પહોંચાડ્યાં. જોકે તપાસ કરીને ડૉક્ટરોએ સારવાર પહેલાં જ શિવાનીને મૃત જાહેર કરી હતી.

Crime News murder case shillong indore relationships madhya pradesh meghalaya national news news