13 September, 2025 07:23 AM IST | Katra | Gujarati Mid-day Correspondent
માતા વૈષ્ણોદેવી ગુફા મંદિર
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણોદેવીની ગુફા મંદિરની યાત્રા ૧૯ દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ રવિવારથી ફરી શરૂ થવાની છે. ૨૬ ઑગસ્ટે વાદળ ફાટવાને કારણે કટરા પટ્ટાના ત્રિકુટા ટેકરીઓ પાસે ભૂસ્ખલન થયું હતું અને એ જ દિવસે યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. ભૂસ્ખલનમાં ૩૪ ભાવિકોએ જીવ ગુમાવ્યા હતા અને અન્ય ૨૦ ઘાયલ થયા હતા.
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી હતી કે વૈષ્ણોદેવી યાત્રા પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિ અને મંદિર તરફ જતા ટ્રૅકની આવશ્યક જાળવણીને કારણે કામચલાઉ સ્થગિત કરવાની જરૂર પડી હતી. જો હવામાન પરિસ્થિતિને અનુકૂળ રહે તો યાત્રા સમયપત્રક મુજબ ફરી શરૂ થશે. લાઇવ અપડેટ્સ, બુકિંગ સેવાઓ અને હેલ્પલાઇન સપોર્ટ માટે ભક્તો શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.maavaishnodevi.orgની મુલાકાત લઈ શકે છે.