ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું; લૅન્ડસ્લાઇડમાં નેપાલી લેબર-કૅમ્પના બે મજૂરોનાં મોત, ૭ મિસિંગ

30 June, 2025 08:52 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

લૅન્ડસ્લાઇડમાં આ ૧૯ મજૂરો તણાઈ ગયા હતા, જેમાંથી પહેલાં ૧૦ જણને બચાવી લેવાયા હતા અને પછી બે જણના મૃતદેહ ૧૮ કિલોમીટર દૂર યમુનાકાંઠે મળી આવ્યા હતા

ચારધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાના પગલે ગઈ કાલે મધરાત પછી ત્રણ વાગ્યે થયેલી લૅન્ડસ્લાઇડમાં ઓછામાં ઓછી બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂસ્ખલન યમુનોત્રી નૅશનલ હાઇવે પર સિલઈ નજીક થયું હતું જ્યાં નવી બંધાઈ રહેલી એક હોટેલની સાઇટ પર મજૂરીકામ કરતા ૧૯ નેપાલી લોકોનો કૅમ્પ હતો. લૅન્ડસ્લાઇડમાં આ ૧૯ મજૂરો તણાઈ ગયા હતા, જેમાંથી પહેલાં ૧૦ જણને બચાવી લેવાયા હતા અને પછી બે જણના મૃતદેહ ૧૮ કિલોમીટર દૂર યમુનાકાંઠે મળી આવ્યા હતા. આ લખાઈ રહ્યું હતું ત્યારે ૭ જણ હજી મિસિંગ છે.

સતત પડી રહેલા ભારે વરસાદ અને લૅન્ડસ્લાઇડના રિસ્કને કારણે ગઈ કાલે પ્રશાસને એક દિવસ માટે ચારધામ યાત્રાને સ્થગિત કરી દીધી હતી.

uttarakhand landslide char dham yatra national news news Weather Update monsoon news