09 December, 2025 03:18 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
ભાનુ સિંહ
કાનપુરના ગોવિંદનગરમાં રહેતા ૩૫ વર્ષના ભાનુ સિંહે શનિવારે મોડી રાતે ટ્રેન સામે પડતું મૂકીને સુસાઇડ કરી લીધું હતું. કાનપુર-ઝાંસી રેલવેલાઇન પાસે યુવકનું શરીર પાટા પર કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ભાનુ સિંહના પિતા કેસર સિંહે કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ પહેલાં તેનાં લગ્ન પ્રાચી નામની છોકરી સાથે થયાં હતાં. હજી ચાર મહિના પહેલાં જ તેમના ઘરે પારણું ઝૂલતું થયું હતું. જોકે નવજાત બાળક જન્મીને તરત મૃત્યુ પામતાં પ્રાચી ડિપ્રેશનમાં જતી રહી. તેનું સ્વાસ્થ્ય કથળતું ગયું અને ૨૬ નવેમ્બરે તેનું મૃત્યુ થયું. પહેલાં બાળક અને પછી પત્નીને ગુમાવ્યા પછી ભાનુ સિંહ પણ બેચેન અને અવસાદમાં રહેવા લાગ્યો હતો. પરિવાર વિખેરાઈ જતાં ભાનુ સિંહ અંદરથી તૂટી ગયો હતો અને સાવ ગૂમસૂમ રહેવા લાગ્યો હતો. તે ઘરે જ સુસાઇડ-નોટ લખીને રેલવે-ક્રૉસિંગ પાસે આત્મહત્યા કરવા નીકળ્યો હતો. નોટમાં તેણે લખ્યું હતું : હું મારી પત્નીને મળવા જાઉં છું. મારા લક્ષ્મણ જેવા ભાઈને પરેશાન ન કરવામાં આવે.’