19 March, 2026 02:07 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દર વર્ષે એપ્રિલ-મેમાં મોટા ભાગની ટીમોના મુખ્ય ખેલાડીઓ IPLમાં વ્યસ્ત હોવાથી એ દરમ્યાન ભાગ્યે જ કોઈ ક્રિકેટ બોર્ડ સિરીઝ ગોઠવતું હોય છે. પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે ખરીદ્યો હતો, પણ વિવાદ બાદ તેની હકાલપટ્ટીને લીધે આ વખતે IPLમાં એક પણ બંગલાદેશી ખેલાડીનો સમાવેશ નથી. બંગલાદેશ ક્રિકેટ બોર્ડે બધા ખેલાડીઓ નવરાધૂપ હોવાથી ન્યુ ઝીલૅન્ડ સામે ૩ વન-ડે અને એટલી જ T20 મૅચની સિરીઝ ગોઠવી દીધી. આ સિરીઝમાં બંગલાદેશ ફુલ સ્ટ્રેંગ્થ સાથે મેદાનમાં ઊતરશે, પણ ન્યુ ઝીલૅન્ડના અમુક સ્ટાર ખેલાડીઓ IPLમાં વ્યસ્ત હોવાથી તેમણે સેકન્ડ ગ્રેડની ટીમને મોકલવી પડશે.
આ સિરીઝ ૧૭ એપ્રિલથી શરૂ થઈને બીજી મે સુધી ચાલશે. ઘરઆંગણે તાજેતરમાં પાકિસ્તાન સામેની જીત બાદ બંગલાદેશ વધુ એક સિરીઝમાં જીત મેળવીને રૅન્કિંગમાં વધુ સુધારો કરવા મક્કમ હશે.