ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાનો સિલેક્શન કમિટીને સ્પષ્ટ સંદેશ

03 June, 2026 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો ઉત્કૃષ્ટ બાળક, તેના શ્રેષ્ઠ હિતમાં જરૂરી હોય એ બધું કરજો...

દેવજિત સૈકિયા

ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ વૈભવ સૂર્યવંશી માટે ભારતીય સિનિયર સિલેક્શન ટીમને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. દેવજિત સૈકિયા કહે છે, ‘વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો ઉત્કૃષ્ટ બાળક છે. મને વિશ્વાસ છે કે તે આવનારા દિવસોમાં દુનિયાને તોફાનથી ભરી દેશે. અમારા બધા પસંદગીકારો IPL ટુર્નામેન્ટમાં સક્રિય રીતે સામેલ હતા. બધા પસંદગીકારોએ આ મૅચોને ખૂબ જ નજીકથી જોઈ છે. મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ સ્થળોએ પણ હાજર હતા. ભારતીય ટીમની આગામી બ્રિટન-ટૂર માટે સિલેક્શન કમિટીની બેઠક થશે. મને ખાતરી છે કે કમિટી વૈભવના પ્રદર્શનને જોતાં શ્રેષ્ઠ હિતમાં જરૂરી હોય એ કરશે.’

દેવજિત સૈકિયાએ અંતે ઉમેર્યું કે ‘અન્ય ઘણા ખેલાડીઓએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. જોકે વૈભવ ખરેખર અદ્ભુત છે. હું ખુશ છું અને ભગવાનનો આભારી છું કે આ સમયે ભારતીય ક્રિકેટ લૅન્ડસ્કેપ પર એક નવો ‘અદ્ભુત બાળક’ ઊભરી આવ્યો છે. તે નિઃશંકપણે ખૂબ જ ટૂંક સમયમાં સીમાઓ પાર કરશે.’

board of control for cricket in india vaibhav sooryavanshi cricket news sports news news