ભારત-પાકિસ્તાનના લેજન્ડ્સની T20 મૅચ આજે રમાશે?

21 July, 2025 07:03 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

હરભજન સિંહ અને પઠાણ બ્રધર્સ ખસી ગયા હોવાના અહેવાલ છે

ઇન્ડિયા ચૅમ્પિયન્સ

ઇંગ્લૅન્ડમાં ૧૮ જુલાઈથી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની બીજી સીઝન શરૂ થઈ હતી. આ સીઝનની ચોથી મૅચ ઇન્ડિયા ચૅમ્પિયન્સ અને પાકિસ્તાન ચૅમ્પિયન્સ વચ્ચે બર્મિંગહૅમમાં રમાવાની છે. અંગ્રેજોની ધરતી પર આયોજિત ભારત-પાકિસ્તાનની આ બહુચર્ચિત મૅચ રમાવા વિશે શંકા છે. ભારતીય સમય અનુસાર રાતે ૯ વાગ્યે શરૂ થનારી આ મૅચમાં વરસાદની સંભાવના વચ્ચે આ મૅચ પર પૉલિટિકલ પ્રેશર પણ બની શકે છે.

પહલગામના આતંકવાદી હુમલા બાદ બન્ને દેશ વચ્ચે થયેલા સંઘર્ષને કારણે આ મૅચનો વિરોધ થઈ રહ્યો છે. મળતા અહેવાલો અનુસાર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ હરભજન સિંહ, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે આ મૅચમાંથી પોતાનું નામ ખેંચી લીધું છે. મોહમ્મદ હાફિઝના નેતૃ‌ત્વમાં પાકિસ્તાની ટીમે ઇંગ્લૅન્ડને પાંચ રને હરાવીને વિજયી શરૂઆત કરી છે.

india pakistan england t20 champions league twenty20 champions league cricket news Weather Update sports news sports indian cricket team