આર અશ્વિનની કોમેન્ટનો સંજય માંજરેકરે ટ્વીટ કરીને આપ્યો જડબાતોડ જવાબ

09 June, 2021 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિવાદની શરૂઆત સંજય માંજરેકરની કોમેન્ટ પછી હવે જ્યારે તેમણે રવિચંદ્રન અશ્વિનને લઈને ટ્વિટર પર નિવેદન જાહેર કર્યું હતું.

સંજય માંજરેકર (તસવીર સૌજન્ય આશિષ રાજે)

ભારતીય કોમેન્ટેટર સંજય માંજરેકર અને ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન વચ્ચે ટ્વિટર પર જાણે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. વિવાદની શરૂઆત સંજય માંજરેકરની કોમેન્ટ પછી હવે જ્યારે તેમણે રવિચંદ્રન અશ્વિનને લઈને ટ્વિટર પર નિવેદન જાહેર કર્યું હતું.

શું કહ્યું હતું માંજરેકરે?
કોમેન્ટેટર સંજય માંજરેકરે કહ્યું હતું કે જે લોકો ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ક્રિકેટના ઑલ ટાઇમ બેસ્ટ બૉલરમાંનો એક જણાવે છે, તો તેને થોડોક વાંધો છે. જ્યારે તમે ભારતીય પિચ પર રવિચંદ્રન અશ્વિનના દળદાર પ્રદર્શનને જોતા છેલ્લા ચાર વર્ષમાં જાડેજાએ લગભગ તેના જેટલી જ વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી સીરિઝમાં અક્ષર પટેલે તેનાથી વધારે વિકેટ લીધી હતી. માટે અશ્વિનને ઑલ ટાઇમ બેસ્ટ બૉલરમાંનો એક કહેવું યોગ્ય નથી.

અશ્વિને આપ્યું આ રિએક્શન
સંજય માંજરેકરના આ ટ્વીટ પર રવિચંદ્રન અશ્વિને રિએક્ટ કર્યું અને તામિલ ફિલ્મ `અન્નિયન` જે હિન્દીમાં `અપરિચિત`ના નામ સાથે રિલીઝ થઈ હતી, તે ફિલ્મની તસવીર શૅર કરતા ભારતીય કોમેન્ટેટરને જવાબ આપ્યો છે. જે તસવીર અશ્વિને શૅર કરી છે તેમાં ફિલ્મનો લીડ હીરો પોતાના મિત્રને કહે છે, "એવું ન કરો મારું મન દુઃખે છે."

હવે માંજરેકરે કર્યો પલટવાર
સંજય માંજરેકરે રવિચંદ્રન અશ્વિનના ટ્વીટ પર પલટવાર કરતા લખ્યું, "સરળ, સીધો-સાદો, ક્રિકેટના સ્કોરને જોતાં મારું મનદુઃખ થાય છે, હાલ વિવાદ છેડાયો છે." સંજય માંજરેકરના આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા પર ચાહકો પોતાના રિએક્શન આપી રહ્યા છે. માંજરેકરે આ ટ્વીટ દ્વારા અશ્વિન પર કટાક્ષ કર્યો છે.

cricket news sports news sports ravichandran ashwin sanjay manjrekar