કોહલી ઇંગ્લૅન્ડ જઈને ટેસ્ટ-સિરીઝમાં ૪-૫ સેન્ચુરી ફટકારવા માગતો હતો

13 May, 2025 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી રણજી ટીમના હેડ કોચે વિરાટ વિશે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું...

જાન્યુઆરી ૨૦૨૫માં રણજી ટ્રોફીની તૈયારી માટે સરનદીપ સિંહને મળ્યો હતો કોહલી.

દિલ્હીની ડોમેસ્ટિક ટીમના હેડ કોચ સરનદીપ સિંહે ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલીની વહેલી ટેસ્ટ-નિવૃત્તિ વિશે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મેં તેને પૂછ્યું હતું કે શું તે ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમશે. તો તેણે ઇંગ્લૅન્ડમાં ઇન્ડિયા-A ટીમ માટે બે મૅચ રમવાની સાથે ૨૦૧૮ની જેમ ઇંગ્લૅન્ડ-ટૂર પર ચાર-પાંચ સેન્ચુરી ફટકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.’

એક અન્ય ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘કોહલીની અચાનક નિવૃત્તિએ હાલમાં બધાને ચોંકાવી દીધા છે. અમે વિચાર્યું પણ નહોતું કે તે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. આપણે વિચારવું પડશે કે એવું શું થયું કે તેણે આટલી વહેલી નિવૃત્તિ લીધી. પહેલાં આવું કંઈ થવાના કોઈ સંકેત નહોતા. વિરાટ કોહલી ખૂબ જ મોટો (પ્લેયર) છે અને તેને સારી વિદાય મળી નથી. તેના નિવૃત્તિના કોઈ સંકેતો નહોતા. તે મને મળ્યો એ સમયે પણ તે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-મૅચો વિશે વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે આ વખતે તે સંપૂર્ણપણે તૈયાર રહેશે.’

virat kohli test cricket t20 t20 world cup sports news sports cricket news ranji trophy